Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક પાણીના ભોંયરામાં પડી જતા મહિલાનું મોત.

Share

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ મયુર વિલાસ સોસાયટીમાં રહેતા પરિવારની મહિલા પોતાના ઘરના પાણીના પડી જતા ડૂબી ગઈ અને મૃત્યુ પામી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે મૃતકના દેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી. આ બનાવના પગલે સતવારા પરિવારમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે. જામનગર શહેરમાં અપ મૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેની પોલીસ દફતરે નોંધાયેલ વિગત મુજબ, શહેરના સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ મયુર વિલા સોસાયટીમાં રહેતા અર્ચનાબેન માવજીભાઈ દેવજીભાઈ નકુમ ઉવ 42 ગઈકાલે પોતાના ઘરે સીડી નીચે બનાવેલા પાણીના ભોયરામાં કોઈપણ કારણસર પડી ગયા હતા અને ડૂબી ગયા હતા. જ્યાં ઊંડા પાણીમાં ડૂબી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક અર્ચના બેનના પતિ માવજીભાઈએ જાણ કરતાં સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકને પાણીનાં ભોયરામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે સથવારા પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

ProudOfGujarat

અરબી સમુદ્રમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, ONGC એ સવાર 9 વ્યક્તિમાંથી 6 ને બચાવ્યા.

ProudOfGujarat

ભરૂચની દેરોલ ચોકડી પાસેથી ચોરાઉ ટેમ્પો સાથે એક ઈસમને ઝડપી પાડતી એલસીબી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!