Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનાગઢ : માંગરોળનાં શ્રીરામ મંદિરે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું

Share

શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાનને લઈ અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આમંત્રણ સમા પુજીત અક્ષત કળશનુ દરેક મંદિરો પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે આજે માંગરોળ શહેરના અતિપ્રાચીન શ્રીરામ મંદિરમાં અક્ષત કળશનુ આગમન થતા શ્રધ્ધાળુઓ રામ નામના રંગે રંગાયા હતા.

બહેનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા અને કળશ માથે રાખી શ્રીરામ નામની ધુન બોલાવતા કળશની પ્રદક્ષિણા સાથે રાસ રમતા સમગ્ર વાતાવરણ રામમય બન્યુ હતુ. મંદિરના પુજારીશ્રી દ્વારા ભગવાન શ્રીરામની આરતી સાથે પુજીત કળશનુ પણ પુજન આરતી કરી કળશને મંદિરમાં પધરામણી કરવામાં આવતા મોટી સંખ્યા આસપાસના ભાઈઓ બહેનો ભાવીકો ઉમટી પડ્યા હતા અને પુજીત અક્ષત કળશ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી.
આ અવસરે માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળના હોદેદારો દ્વારા શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાન વિષે તેમજ અન્ય કાર્યક્રમો વિષે ઉપસ્થિત લોકોને માહીતી પુરી પાડી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની જી.આઈ.એલ કોલોનીના બંધ મકાનમાં ચોરી: રૂ! ૭૬,૪૦૦ના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થી ચકચાર

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રતનપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરે રિટાયર્ડ રેલ્વે ઓફિસરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું.

ProudOfGujarat

વાલિયાના સિંગલવાણ ગામે જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક : ટોળાએ પોલીસ ટીમ પર કર્યો પથ્થરમારો : 4 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત, સરકારી વાહનો સહિત અનેક ગાડીઓમાં નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!