Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિનેષ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને શુભેચ્છાઓ પાઠવી

Share

કરજણ તાલુકાના પાછીયાપુરા ગામના રહીશ મિનેષ પરમાર કે જેઓ મૂળ નિવાસી એકતા મંચના અઘ્યક્ષ કમ એડવોકેટ કે જેઓ એક યુવા પેઢી માટે માર્ગદર્શક બન્યા છે. તેઓની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક થતા મૂળ નિવાસી એકતા મંચના સદસ્યો તેમજ સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ભારત સરકાર દ્વારા નોટરી તરીકેની નિમણુકની યાદી તારીખ – ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

જાહેર કરાયેલી યાદીમાં વડોદરા જિલ્લાના કરજણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા કરજણ બાર એશોશિએશનના ઉપપ્રમુખ અને મૂળનિવાસી એકતા મંચ નામનું સામાજિક સંગઠન ચલાવતા જાણીતા એડવોકેટ મિનેષ પરમારની ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ મૂળનિવાસી એકતા મંચના આગેવાનો એ અને કરજણ તાલુકાના આજુબાજુના ગામનો આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં હતી અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને સાથે સાથે મીનેશભાઈ એડવોકેટ વકીલાતના વ્યવસાયમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

૭૫ લાખના કથિત તોડ મામલે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ : સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસના વર્તન પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું રિસર્ચ

ProudOfGujarat

દેશનું પ્રથમ સૌથી મોટું ડોમેસ્ટિક ક્રૂઝ આજથી શરૂ થશે, મુંબઈથી ગોવા વચ્ચે ચાલશે, એકવારમાં 350 લોકો મુસાફરી કરી શકશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!