Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિનેષ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને શુભેચ્છાઓ પાઠવી

Share

કરજણ તાલુકાના પાછીયાપુરા ગામના રહીશ મિનેષ પરમાર કે જેઓ મૂળ નિવાસી એકતા મંચના અઘ્યક્ષ કમ એડવોકેટ કે જેઓ એક યુવા પેઢી માટે માર્ગદર્શક બન્યા છે. તેઓની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક થતા મૂળ નિવાસી એકતા મંચના સદસ્યો તેમજ સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ભારત સરકાર દ્વારા નોટરી તરીકેની નિમણુકની યાદી તારીખ – ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

જાહેર કરાયેલી યાદીમાં વડોદરા જિલ્લાના કરજણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા કરજણ બાર એશોશિએશનના ઉપપ્રમુખ અને મૂળનિવાસી એકતા મંચ નામનું સામાજિક સંગઠન ચલાવતા જાણીતા એડવોકેટ મિનેષ પરમારની ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ મૂળનિવાસી એકતા મંચના આગેવાનો એ અને કરજણ તાલુકાના આજુબાજુના ગામનો આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં હતી અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને સાથે સાથે મીનેશભાઈ એડવોકેટ વકીલાતના વ્યવસાયમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

આજે ધનતેરસનાં દિવસે લક્ષ્મી દેવીનું પૂજન કરતાં ભરૂચનાં રહીશો.

ProudOfGujarat

ઝઘડિયા : બેન્ક ઓફ ઈન્ડિયાના ૧૧૭ માં સ્થાપના દિવસની ઉમલ્લા ખાતે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મોટામિયા માંગરોલના ઈરફાનભાઈ મકરાણીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!