Proud of Gujarat
FeaturedGujaratINDIA

આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન દ્વારા કતપોર આયુર્વેદિક દવાખાનું તથા યોગી વિદ્યામંદિર શાળા હાંસોટનાં સૌજન્યથી હાંસોટ ખાતે  કોરોના વાઈરસ સામે ફરજ બજાવતાં કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો.

Share

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર મહામારી કોરોના વાઇરસને હરાવવા માટે સરકાર અને વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા યેનકેન પ્રકારે મદદ કરી સેવા બજાવી રહ્યા છે. ત્યારે આજરોજ સરકારની આયુષ મંત્રાલયની ગાઈડ લાઈનને અનુરૂપ કતપોર આયુર્વેદિક દવાખાના અને હાંસોટ યોગી વિદ્યા મંદિર શાળા દ્વારા પોતાની જિંદગીની પરવા કર્યા વિના સતત ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, મામલતદાર કચેરીના અધિકારીઓ, તાલુકા પંચાયતનાં અધિકારીઓ, બેંક કર્મચારીઓ તથા જી.ઈ.બી. કર્મચારીઓ આ મહામારી સામે સ્વસ્થ અને સશક્ત રહી કોરોના સામે સારી રીતે ફરજ બજાવી શકે તે હેતુથી ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. દરમિયાન કતપોર આયુર્વેદિક દવાખાનાંના મેડીકલ ઓફીસર ડૉ.ગૌતમ જસાણી અને યોગી વિદ્યા મંદિર શાળાના પ્રમુખ હરેશ ભાઈ યુ.પટેલ સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની મઢૂલી સર્કલ પાસે ટેમ્પો પલ્ટી

ProudOfGujarat

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું આયોજન

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં કેમ સર્જાયો શિયાળામાં ચોમાસા જેવો માહોલ ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!