Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં આયુષ્ય ભવ સર્વે નિદાન કેમ્પ યોજાયો

Share

ઉમરપાડા તાલુકામાં પ્રધાનમંત્રી જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા સેવા પખવાડિયા ઉજવણી અંતર્ગત આયુષ્ય ભવ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા અને આગેવાનોએ કર્યું હતું જેમાં સુરત સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયલિસ્ટ ડોક્ટરોની ટીમ જેમાં સર્જન, કાન, ગળા, નાક, ચામડી, ડેન્ટલ, ગાયનેક, આંખ, માનસિક રોગના ડોક્ટર વગેરે ડોકટરો ઉપસ્થિત રહી સેવા આપી હતી. લાભાર્થીઓને ચેકનું વિતરણ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતુ. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરોક્ત સેવા પખવાડિયા કાર્યક્રમમાં ભાજપા મહામંત્રી અમિષભાઈ વસાવા, ઉમરપાડા સરપંચ પ્રકાશભાઈ, વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ, વહાર ગામના સરપંચ ઇંદ્રજીતભાઈ, રાજેશભાઈ, કરણભાઈ, મુળજીભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતમાં કેરટેકર મહિલાનો આઠ મહિનાના બાળક પર અમાનુષી અત્યાચાર…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વરિષ્ઠ નાગરિકોના અધિકારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાક વરસ્યા બાદ અનેક જગ્યા એ જળ બંબાકાળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!