Proud of Gujarat
FeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વસરાવી ગામે એક કોરોના વાયરસનો કેસ પોઝિટીવ નીકળતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.

Share

માંગરોળ તાલુકાના વસરાવી ગામે એક કોરોના વાયરસનો કેસ પોઝિટીવ નીકળતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે. શહેરી વિસ્તારો જેવા કે સુરત, વડોદરા, અમદાવાદ શહેરોમાં કેસ નોંધાયેલા જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો ન હતો.ગ્રામ્ય વિસ્તારનો પ્રથમ કેસ નોંધાયો. આ કેસ વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય વિભાગ અંદરના વસરાવી ગામે નોંધાયો છે. વસરાવી ગામનો એક પેસેન્જર પૂનામાંથી સાઉદીથી પુનઃ વસરાવી આવ્યો હતો. કોરોના વાયરસ પોઝિટિવ આવતા તેને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા 12 જેટલાં વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના પર માંગરોળ આરોગ્ય ખાતું નજર રાખી રહ્યું છે. આ અંગેની માહિતી માંગરોળ ટી.એચ.ઓ.ડો . શાન્તા કુમારીએ આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ગડખોલ પાટિયા નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર- 13 વર્ષીય બાળકીનું નહેરના પાણીમાં ડૂબી જવાથી મોત…

ProudOfGujarat

ભરૂચ ના સોનેરી મહેલ ઢાળ વિસ્તાર ને અડીને આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી નો ભરાવો થતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે..અને લોકો પૂછી રહ્યા છે આખરે ક્યારે તંત્ર જાગૃત થશે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!