Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના આસરમા ગામે 108 દિવસ નર્મદા પરિક્રમા કરી પરત આવેલા પદયાત્રીઓનું ગ્રામજનોએ સ્વાગત કર્યું.

Share

માંગરોળ તાલુકાના આસરમા ગામે 108 દિવસ નર્મદા પરિક્રમા કરી પરત વતન આવેલા પદયાત્રીઓનું ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી સ્વાગત કર્યું હતું. મનુષ્ય જીવનમાં નર્મદા પરિક્રમાનું અનેરૂ મહત્વ છે, નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા સૌ કોઈને થતી હોય પરંતુ નર્મદા પરિક્રમા કરવું કઠિન છે છતાં મનના સંકલ્પથી માંગરોળ તાલુકાના ગામના કિશોરસિંહ પ્રભાતસિંહ સોલંકી અને ગણપતસિંહ ગંભીરસિંહ જાદવ નર્મદા પરિક્રમા કરવા અન્ય સહયોગીઓ સાથે નીકળ્યા હતા. સતત 108 દિવસ નર્મદા મૈયાની તેઓએ પરિક્રમા કરી હતી અને તેઓ પરત પોતાના વતનમા આસરમા ગામે આવી પહોંચતા કળશ ધારી કન્યાઓ અને ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી પદયાત્રીઓ કિશોરસિંહ સોલંકી અને ગણપતસિંહ જાદવનુ સ્વાગત કર્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નેત્રંગમાં રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પકડાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર જપ્ત કરવાનો મામલો, ચાલક સહીત 3 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ચારણી ગામે ખેડૂત સંવાદ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!