Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ વિસ્તારના 25 ગામોમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા ભગવાન કરુણા સાગર અંતર ધ્યાન દિવસ ભાદરવા તેરસની ઉજવણી કરાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ પાતલ દેવી સહિત 25 થી વધુ ગામોમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા પરમગુરુ ભગવાન કરુણા સાગરના અંતર ધ્યાન દિવસ ભાદરવા વદ તેરસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરમગુરુ ભગવાન કરુણા સાગર 1934 માં ભાદરવા વદ તેરસના દિવસે અંતર ધ્યાન થયા હતા જેથી જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા ભાદરવા વદ એકમથી તેરસ સુધી ઉપવાસ કરવામાં આવે છે અને આ 13 દિવસ નાના મોટા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે અને અંતે તેરસના દિવસે સામૂહિક રીતે મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે.

વાંકલ ગામે આવેલ ભગવાન કરુણા સાગર મંદિરે તેમજ પાતળદેવી ગામે આવેલ ભગવાન કરુણા સાગર મંદિરે સવારથી જ આરતી ઉપાસના ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તાલુકાના બોરીયા, કંટવાવ, ઝઘડિયા, વેરાકુઈ સહીત 25 થી વધુ ગામોમા ભગવાન કરુણા સાગર અંતર ધ્યાન દિવસ ભાદરવા વદ તેરસની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીની સનાતન હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી કરતા વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમયોગીઓને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

ProudOfGujarat

પંચમહાલ : સી.પી.એસ.”ડૉક્ટર એસોસિયેશન દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોની માંગ નહી સંતોષાતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!