Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIA

ઘનશ્યામ નાયકના મૃત્યુ પર બાઘાએ કેમ આવું કહ્યું “સારું થયું કે ગુજરી ગયા નટ્ટુ કાકા”

Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં નટુકાકાના પાત્રમાં જોવા મળતા અભિનેતાનું ૩ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ નિધન થયું છે તમને જણાવી દઇએ કે નટુકાકાના નામે ઘરઘરમાં જાણીતાં બનેલા આ અભિનેતાનું નામ ઘનશ્યામ નાયક હતું અને તેઓ સિરિયલ ની શરૂઆતથી જ આ સિરિયલનો ભાગ રહ્યા હતા અભિનેતા ઘનશ્યામ નાયકને વર્ષ ૨૦૨૦માં ગાળામાં કેન્સર હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગળાનું ઓપરેશન કરી ગાંઠ કાઢવામાં આવી હતી જે બાદ તેમને કીમો થેરાપી અને રેડિયેશન લીધા હતા અને ફરીથી પોતાના કામ પર આવી ગયા હતાજો કે થોડા સમય પહેલા નટુકાકાને ફરી કેન્સર ઉથલો માર્યો હોવાની વાત જાણવા મળી હતી .

૩ ઓક્ટોબરના રોજ તેમના દીકરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે આ અભિનેતાના નિધન પર ન માત્ર તેમના ચાહકો પરતું તેમની સાથે કામ કરનારા સિરિયલ ના અન્ય કલાકારોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક સાથે સિરિયલમાં સૌથી વધારે સમય રહેનાર અભિનેતા તન્મય ઉર્ફે બાઘા એ તેમના નિધન બાદ એક ઇન્ટરવ્યૂ આપ્યું છે જેમાં તેને કહ્યું કે નટુકાકા ને ઘણી તકલીફ પડી છે. કેન્સરના કારણે તેઓ ખાઈ પણ નહોતા શકતા એમની તકલીફો જોઈને મને લાગે છે ભગવાને જે કર્યું એ સારું કર્યું કે નટ્ટુકાકાને પોતાની પાસે બોલાવી લીધા તો હાલમાં તેઓ ભગવાનના પાસે છે અને શાંતિ વાળી જગ્યા એ છે.

Advertisement

તનમયે કહ્યું કે નટુકાકા એક સારા વ્યક્તિ હતા તેઓ જીવનના અંત સુધી માત્ર કામ જ કરવા માગતા હતા ૭૭વર્ષની વયે નિધન પામેલા આ અભિનેતાએ ૨૦૦ ગુજરાતી હિન્દી ફિલ્મોમાં અને ૩૫૦ જેટલી સિરિયલમાં કામ કર્યું છે અભિનેતા એ પોતાના અભિનયની શરૂઆત બાળકલાકાર રોલથી કરી હતી.સાથે જ હમ દિલ દે ચૂકે સનમ ચાઇના ગેટ જેવી ફિલ્મોમાં કેમિયો પણ કર્યો હતો જો હાલમાં લોકોના દિલ પર રાજ કરનારા આ કલાકારના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તેની પાસે પોતાનું ઘર પણ ન્હોતું અને બાળકોની ફી ભરવાના પૈસા પણ નહોતા જો કે હવે જીવું રહ્યું કે સિરિયલમાં નટુકાકાના પાત્ર માટે કયા કલાકારને લેવામાં આવશે.


Share

Related posts

ભરૂચ શહેર જીલ્લામાં CAA અને NRC નાં કાળા કાયદા સામે વિવિધ સંગઠનો દ્વારા બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

ProudOfGujarat

ગોધરા:વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી નિમિતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને અપાયેલી છૂટછાટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!