Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીઆદ બ્રહ્માકુમારીઝ ખાતે તા.25 એ આત્મનિર્ભર કિસાન સંમેલન યોજાશે.

Share

આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં નગર નડીઆદમાં આત્મનિર્ભર કિસાન સંમેલનનું જીલ્લાસ્તરનું આયોજન કરેલ છે, જેમાં જીલ્લાના ખેડૂત અગ્રણીઓ તથા જીલ્લાના પદાધિકારીઓ પધારશે. સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ભ્રાતા અર્જુનસિંહ મંત્રી ગ્રામ વિકાસ તથા અતિથી વિશેષ તરીકે ભ્રાતા કે.એલ.બચાણી કલેક્ટર, નયનાબેન પટેલ પ્રમુખ જીલ્લા પંચાયત ભ્રાતા એમ.કે.દવે DDO ભ્રાતા દિપકભાઈ રબારી જીલ્લા ખેતી અધિક્ષક ભ્રાતા સંજયસિંહ મહિડા પ્રમુખ તાલુકા પંચાયત ભગિની સ્નેહલબેન પટેલ પ્રમુખ, વસો તાલુકા પંચાયત ભ્રાતા જીતેન્દ્ર સુથાર ડાઈરેક્ટર, આત્મા પ્રોજેક્ટ નાબાર્ડના ભ્રાતા રાજેશભાઈ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ગ્રામવિકાસ પ્રભાગના રાષ્ટ્રિય સંયોજિકાબી.કે. તૃપ્તિબેન પણ પધારશે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, બ્રહ્માકુમારી સંસ્થાનો કૃષિ અને ગ્રામવિકાસ પ્રભાગ – શાશ્વત યૌગિક અને જૈવિક ખેતીની વિસ્તૃત જાણકારી આપી ખેડુતોને બિનજરૂરી ખર્ચમાંથી મુક્ત કરવાના અનેરા પ્રયાસમાં સેવારત છે તથા ગ્રામવિકાસના સર્વાંગી વિકાસ માટેપણ સમસ્ત ભારતમાં સેવા કરી રહેલ છે.
તારીખ ૨૫ એપ્રિલ, ૨૨ સોમવારના રોજ સાંજે ૫ કલાકે પ્રભુ શરમણમ્, બ્રહ્માકુમારીઝમાં પધારી ખેડૂત મિત્રોને લાભ લેવા જણાવેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ખેડા : ઠાસરામાં બનાવટી માર્કશીટ-સર્ટીફીકેટ રેકેટમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો.

ProudOfGujarat

ગોધરા સ્થિત સિવિલ હોસ્પિટલના પાછળ આવેલી મેસરી નદી ખાબોચિયામા પાણી કયાથી જાય છે.?? જાણો.

ProudOfGujarat

ભરૂચ નવરાત્રી તેના અંતિમ ચરણમાં આજે આસો નવરાત્રીની આઠમની વિવિધ મંદિરોમાં ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!