Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : કપડવંજ નિરમાલી વચ્ચે એસ.ટી બસ રોડ સાઈડમાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા.

Share

કપડવંજ નિરમાલી વચ્ચે તાજેતરમાં બનેલ રોડ ખામીયુક્ત બનાવવામાં આવ્યો છે. જેના કારણે આ રોડ પર અકસ્મતાની ઘટન બની છે. માંડવાથી કપડવંજ આવતી એસ.ટી બસ રોડ સાઈડમાં ઉતરી જતા 20 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. અગાઉ પણ એક ડમ્પર, ઇકો કાર, રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની સાઈડો બનાવવામાં ફક્ત માટી ઠાલવી દીધી છે. જ્યા નથી ક્વોરી વેસ્ટ નખાયો કે નથી રોલર ફેરવાયું, જેના કારણે હરરોજ અકસ્માતની ઘટનાઓ બને છે. રોડ બની રહ્યો હતો ત્યારે જ કામમાં ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ રોડની કામગીરી જે એજન્સીને સોંપવામાં આવી હતી તે એજન્સી અધૂરુ કામ મુકીને પલાયન થઈ ગઈ છે. જે બાબતે યોગ્ય તપાસ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રોમેન્ટિક ગીત “ટાટા કરડે ને” નું પોસ્ટર થયું રિલીઝ.

ProudOfGujarat

અરવલ્લી : મોડાસાના માધવ પ્રાયોર LLP માં પરવાનો ન હોવા છતાં ફટાકડાનું વેચાણ પકડાતા ગોડાઉન સીલ કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!