Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

Share

શ્રી સંતરામ વિદ્યાલયમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન તેમજ પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિદ્યાલયની તમામ બહેનોએ ભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મીઠાઈ સ્વરૂપે સાકર ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. ભાઇઓએ પણ બહેનોને પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને તહેવારનું મહત્વ પણ સમજાવવામા આવ્યું હતું. વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ હર્ષ અને ઉલ્લાસ સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે શ્રી સંતરામ કેળવણી મંડળના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજે તથા મંત્રીશ્રી નિર્ગુણદાસ મહારાજે શ્રી સંતરામ દિવ્ય અખંડ જ્યોતિના આશિષ પાઠવ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 22 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા જીલ્લામાં કુલ સંખ્યા 665 થઈ.

ProudOfGujarat

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે રાહત કેન્દ્ર અને રાજય સરકારના અઢી -અઢી રુપિયાનો ઘટાડો થતા પેટ્રોલ અને ડિઝલમાં 5 રુપિયાનો ઘટાડો..

ProudOfGujarat

ભરૂચ – વાગરા પોલીસ મથકના ઓછાણ ગામમાથી સગીર કિશોરીને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!