Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં દીકરીના આણા માટે રાખેલા દાગીના અને રોકડ રકમની તસ્કરો ચોરી કરી ફરાર.

Share

નડિયાદના પશ્ચિમ વિસ્તાર મિશન રોડ પર આવેલ  ફાટક પાસે રહેતા ટીનાભાઈ ઉર્ફે નવઘણભાઈ મોહનભાઈ તળપદાના ઘરમાં મધરાત બાદ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. પરિવાર ઘરમાં સૂઈ રહ્યો હતો ત્યારે મધરાત બાદ અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાની સ્ટોપર ખોલી ઘરમા પ્રવેશ કરી ઘરની તિજોરીમાં મુકેલા સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ અંદાજીત રૂપિયા 3 લાખ 75 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા છે વહેલી પરોઢે પરિવારજનોને ચોરી અંગેની જાણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

પોતાની દિકરીને સાસરે મોકલવા માટે આણું તૈયાર કર્યું હતું જે તસ્કરોએ ચોરી કરી લેતા પરિવાર મુશ્કેલીમા મુકાયો છે. આ બનાવ સંદર્ભે મકાન માલિકે પોલીસ મથકને જાણ કરી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી જે દિશામા તસ્કરો ફરાર થયા હતા તે તરફ તપાસ કરતાં ઘરેણાના બીલો અને ખાલી પાકીટ મળી આવ્યું હતું. આથી સમગ્ર મામલે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારની સિદ્ધેશ્વરી સોસાયટીમાં હત્યાની આશંકા સાથે એક પરપ્રાંતિ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો તે ગુના સંદર્ભે પોલીસ તે મૃતક પરિણીતાના પતિની અટકાયત કરી છે.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ.

ProudOfGujarat

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અંકલેશ્વરની અગ્રણી અને આદરણીય મહિલાઓના મંતવ્ય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!