Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરેથી કહ્યા વગર નીકળેલ અમદાવાદનાં બે બાળકોનું પરીવાર સાથે મીલન

Share

અમદાવાદ ખાતે આવેલ ઈસનપુર વિસ્તારના મિલ્લતનગરમા રહેતા બે બાળકો કોઈને કહ્યા વગર ગત ૬ ડીસેમ્બરના રોજ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. આ બાદ તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી મુંબઈ તરફની કોઈ ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે આ પછી આ બન્ને બાળકોને ભુખ લાગતા બન્નેએ ચાલુ ટ્રેનમાં ભીખ માંગતા ટ્રેનમાં સવાર એક પેસેન્જરની નજર આ બન્ને બાળકો પર પડતાં તેઓએ આ બન્ને બાળકોને લઈને નડિયાદ રેલવે પોલીસને સોંપ્યા હતા.ચાઈલ્ડ લાઈન અને ડીસીપીયુએ ઈસનપુર પોલીસનો સંપર્ક કર્યો આ બાદ રેલવે પોલીસે ખેડા ચાઈલ્ડ લાઈનને સમગ્ર કેસ સોપ્યો હતો. ખેડા ચાઈલ્ડ લાઈનના મીનાક્ષીબેન, તરલિકાબેન,ડીસીપીયુના ડો.અલકાબેન રાવલ દ્વારા બાળકોનું કાઉન્સિલીગ કરાતા આ બન્ને લોકોએ પોતાના નામ જણાવ્યા હતા અને પોતે સગાભાઇઓ થાય છે. તેઓ બન્ને અમદાવાદ ખાતે રહે આ વિગતના આધારે અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ જરૂરી કાર્યવાહી કરી બન્ને બાળકોને તેના પરિવારજનોને સોંપ્યા છે. તપાસમાં આ બન્ને બાળકો મુંબઈ સ્થિત ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલને મળવા જવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વાંકલ ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રાથમિક શિક્ષા વર્ગ યોજાયો

ProudOfGujarat

કેપી ગૃપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૩૬ હજાર કરોડનું રોકાણ કરશે

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તાર માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડતી પોલીસ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!