Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરેથી કહ્યા વગર નીકળેલ અમદાવાદનાં બે બાળકોનું પરીવાર સાથે મીલન

Share

અમદાવાદ ખાતે આવેલ ઈસનપુર વિસ્તારના મિલ્લતનગરમા રહેતા બે બાળકો કોઈને કહ્યા વગર ગત ૬ ડીસેમ્બરના રોજ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. આ બાદ તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી મુંબઈ તરફની કોઈ ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે આ પછી આ બન્ને બાળકોને ભુખ લાગતા બન્નેએ ચાલુ ટ્રેનમાં ભીખ માંગતા ટ્રેનમાં સવાર એક પેસેન્જરની નજર આ બન્ને બાળકો પર પડતાં તેઓએ આ બન્ને બાળકોને લઈને નડિયાદ રેલવે પોલીસને સોંપ્યા હતા.ચાઈલ્ડ લાઈન અને ડીસીપીયુએ ઈસનપુર પોલીસનો સંપર્ક કર્યો આ બાદ રેલવે પોલીસે ખેડા ચાઈલ્ડ લાઈનને સમગ્ર કેસ સોપ્યો હતો. ખેડા ચાઈલ્ડ લાઈનના મીનાક્ષીબેન, તરલિકાબેન,ડીસીપીયુના ડો.અલકાબેન રાવલ દ્વારા બાળકોનું કાઉન્સિલીગ કરાતા આ બન્ને લોકોએ પોતાના નામ જણાવ્યા હતા અને પોતે સગાભાઇઓ થાય છે. તેઓ બન્ને અમદાવાદ ખાતે રહે આ વિગતના આધારે અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ જરૂરી કાર્યવાહી કરી બન્ને બાળકોને તેના પરિવારજનોને સોંપ્યા છે. તપાસમાં આ બન્ને બાળકો મુંબઈ સ્થિત ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલને મળવા જવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મેરી મીટ્ટી, મેરા દેશ : આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

જિલ્લા કલેકટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ : ભરૂચમાં માર્ગ સલામતી વધુ મજબૂત બનાવવા જિલ્લા કલેકટરએ આપ્યા મહત્વપૂર્ણ નિર્દેશો

ProudOfGujarat

જમ્મુ કાશ્મીર ના કથુવા અને યુપી ના ઉન્નાવ તેમજ સુરતના પાંડેસરા માં બાળા સાથે થયેલ દુષ્કર્મ ના વિરોધ્ધ માં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અને કામદાર સંઘ દ્વારા અંકલેશ્વરમાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી ગુનેગારોને ફાંસી ની સજા ની માંગણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!