Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરામાં મોટરસાયકલના ટાયર નીચે પથ્થર આવી જતાં અકસ્માત, એકનું મોત

Share

ઠાસરાના અંબાવ પાસે આખ્યાન સાંભળવા મોટરસાયકલ પર જતાં આ બંન્ને યુવાનોને અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ઈજા
પહોંચી છે. મોટરસાયકલના ટાયર નીચે પથ્થર આવતાં મોટરસાયકલ પર સવાર બંન્ને મિત્રો ફંગોળાયા હતા. ઠાસરા ગોપાલ ફળિયામાં રહેતા ૩૪ વર્ષીય વિનોદભાઈ કાંતિભાઈ પરમાર પોતાના મિત્ર રામસિંગ બાલસિગ વસાવા સાથે નજીક આવેલા અંબાવ ગામે આખ્યાન સાંભળવા રાત્રે પોતાના ઘરેથી મોટરસાયકલ પર નીકળ્યા હતા. મોટરસાયકલ રામસિંગ વસાવા ચલાવી રહ્યા હતા. બંને મિત્રો મોટરસાયકલ પર અંબાવ ગામથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર પથ્થર મોટરસાયકલના ટાયર નીચે આવી જતાં બંને મિત્રો રોડ ઉપર પટકાતા બંનેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અને ૧૦૮ બોલાવી હતી બંને મિત્રોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં ગંભીર રીતે ઘવાયેલા રામસિંગ વસાવાને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 125 મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

રાજપીપળા : એકતા નગર ખાતે ભારત રંગ મહોત્સવમાં મરાઠી નાટક “તેરાવં” જોવા મરાઠી નાટક પ્રેમીઓ ઉમટ્યા.

ProudOfGujarat

છોટુભાઈ વસાવાની સંપત્તિમાં બે વર્ષમાં રૂપિયા 22 લાખનો ઘટાડો. રૂપિયા 45.95 લાખની લોન. છ ફોજદારી કેસો પડતર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!