Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ઇન્દોર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

Share

કઠલાલના લાડવેલ ગામે રહેતા ૫૫ વર્ષિય ભીખાભાઇ નાનાભાઇ રાઠોડ ગઇકાલે મોટરસાયકલ પર પોતાના ગામથી નજીક આવેલા ખેતરમાં જતાં હતાં. આ દરમિયાન અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સિતાપુરા પાટીયા પાસે તેઓ રોગ સાઈડે પોતાનું વાહન હંકારતાં હતા તે સમયે સામેથી આવતાં મોટરસાયકલ સાથે ભીખાભાઈએ પોતાનું વાહન ટકરાયુ હતુ. જેના કારણે આ બંને બાઈક ચાલકો રોડ ઉપર પટકાતા બંનેની શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો આવી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને વાર લાગતાં સ્થાનિકોએ ખાનગી વાહન મારફતે આ ઘવાયલા ચાલકોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ભીખાભાઇ નાનાભાઇ રાઠોડનુ મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના ભત્રીજા શૈલેશકુમાર ભલાભાઇ રાઠોડે કઠલાલ પોલીસને જાણ કરતા પોલીસે ફેટલ
અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર સાડા ચાર મિનીટમાં જ સમેટાઈ ગઈ

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મહિલા દિન નિમિત્તે સ્કીલ હબનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

અમદાવાદનાં બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 25 દુકાનો સળગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!