Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ઇન્દોર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

Share

કઠલાલના લાડવેલ ગામે રહેતા ૫૫ વર્ષિય ભીખાભાઇ નાનાભાઇ રાઠોડ ગઇકાલે મોટરસાયકલ પર પોતાના ગામથી નજીક આવેલા ખેતરમાં જતાં હતાં. આ દરમિયાન અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સિતાપુરા પાટીયા પાસે તેઓ રોગ સાઈડે પોતાનું વાહન હંકારતાં હતા તે સમયે સામેથી આવતાં મોટરસાયકલ સાથે ભીખાભાઈએ પોતાનું વાહન ટકરાયુ હતુ. જેના કારણે આ બંને બાઈક ચાલકો રોડ ઉપર પટકાતા બંનેની શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો આવી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને વાર લાગતાં સ્થાનિકોએ ખાનગી વાહન મારફતે આ ઘવાયલા ચાલકોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ભીખાભાઇ નાનાભાઇ રાઠોડનુ મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના ભત્રીજા શૈલેશકુમાર ભલાભાઇ રાઠોડે કઠલાલ પોલીસને જાણ કરતા પોલીસે ફેટલ
અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળની કોંગ્રેસ સમિતિએ તાલુકામાં કોરોનાથી અવસાન પામેલા ૨૭૫ લોકોના સહાય ફોર્મ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને સુપ્રત કર્યા.

ProudOfGujarat

ભરૂચ : પોલીસ કર્મચારીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી.

ProudOfGujarat

પાદરામાં એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!