Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના વાણીયાવાડ પાસે ગઠિયાઓએ વૃદ્ધને પોલીસની ઓળખ આપી દાગીના લઈ ફરાર

Share

નડિયાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા વાણીયાવાડમા  દર્શનાર્થે જતાં વિધવા વૃધ્ધને બે ઈસમોએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી સોનાની બંગડીઓ નહીં પહેરવા આદેશ છે તેમ કહી બંગડીઓ ઉતારી પડીકું બનાવી ધાતુની બંગડીઓ આપી રફુચક્કર થયા છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ શહેરના પેટલાદ રોડ પર બંધન પાર્ટી પ્લોટ પાસે રહેતા ૬૮વર્ષિય વિધવા જ્યોતિકાબેન પ્રવિણભાઇ સુથાર ૬ જુનના રોજ પોતાના ઘરેથી વહેલી સવારે રીક્ષામાં બેસી શહેરના વાણીયાવાડ સર્કલ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતા હતા ત્યારે  મંદિરના ગેટની બહાર બે અજાણ્યા ઈસમોએ જ્યોતિકાબેનને ઉભા રાખ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. હમણા સોનાના દાગીના નહી પહેરવા ઉપરથી ઓર્ડર છે જેથી તમે તમારા દાગીના કાઢી નાખો તેમ કહ્યું હતું.

Advertisement

વૃધ્ધાએ પોતાના હાથમાં પહેરેલ સોનાની આશરે અઢી તોલાની બે બંગડીઓ પોતાના હાથમાંથી કાઢી પાકીટમાં મુકવા જતા આ બંન્ને વ્યક્તિઓએ કહ્યું લાવો પડીકું બનાવી આપી આમ કહી કાગળમાં વીંટીને પડીકું બનાવી આપ્યુ ત્યારબાદ મંદિરે દર્શન કરી પરત બહાર આવીને  પડીકું ખોલીને જોયું તો તેમાં સોનાની બંગડીઓની જગ્યાએ અન્ય ધાતુની બંગડીઓ હતી. જોકે પરત આ જગ્યાએ  વૃધ્ધ આવ્યા હતા પણ ગઠીયાઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે જ્યોતિકાબેન નડિયાદ ટાઉન પોલીસમાં અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભાવનગરની સુપ્રસિદ્ધ કથક ડાન્સર જિજ્ઞા દીક્ષિત “હંગેરી”માં ભારતીય શાસ્ત્રીય નૃત્યનો પ્રસાર કરશે.

ProudOfGujarat

વડોદરા : કરજણ રેલવે સ્ટેશનની ફુટ ઓવર બ્રિજ સમસ્યાના નિવારણ માટે ધારાસભ્યને રજુઆત કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ શાક માર્કેટની બહારની ગંદકી જાતે ઊભા રહી સાફ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!