Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સંતરામ મંદિરના લીમડાવાળા મેદાનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો

Share

શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત સુખસાગર યોગ ધ્યાન મંદિર (સુયોગમ) દ્વારા નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શ્રી સંતરામ મંદિરના લીમડાવાળા મેદાનમાં યોજવામાં આવ્યો.

જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી યોગપીઠાધિશ્વર રામદાસજી મહારાજ, આચાર્ય ધર્મેન્દ્ર સાહેબ (કબીર સંપ્રદાય), પૂજ્ય મુદિતવદનાનંદજી, સંતરામ મંદિરના સંત શ્રીઓ  પૂજ્ય નિર્ગુણદાસજી,પૂજ્ય સત્યદાસજી, પૂજ્ય સર્વેશ્વરદાસજી, પૂજ્ય મોરારીદાસજી, પૂજ્ય હરેશ્વરદાસજી નાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને યોગ કાર્યક્રમને શુભારંભ કરાવેલ. સુયોગમ પ્રશિક્ષક ચાંદનીબેન અને પંકેશભાઈ તેમજ સુયોગમ સાધકો દ્વારા યોગાસનો, પ્રાણાયામો અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો. કાર્યક્રમના અંતે પૂજ્ય સંતશ્રી નિર્ગુણદાસજી દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આ યોગ દિનના યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં વિદ્યાલયના બાળકો, બ્રહ્મર્ષિ  સંસ્કારધામના ઋષિ કુમારો અને યોગસાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભીષણ આગ.તક્ષશિલા એપારમેન્ટ પરથી લોકો કૂદયા.જુઓ લાઇવ દ્રશ્યો…

ProudOfGujarat

અંકલેશ્વરના રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલવાનું કહી ગઠિયો રૂપિયા લઈ ફરાર..

ProudOfGujarat

ભરૂચની પટેલ સોસાયટીમાં શાહુડીના ત્રાસથી રાહત, વન વિભાગે કરી સફળ રેસ્ક્યૂ કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!