Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાં રોડ પરના મકાનનું છજુ પડતાં નાસભાગ મચી

Share

નડિયાદમા આ વર્ષે ૫૦ થી વધુ જર્જરિત મકાનોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ જર્જરિત મકાનો ઉતરવામાં ન આવ્યા. નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ પરના મકાનનું છજુ પડ્યુ હતુ. છજુ પડ્યુ તે સમયે સદનસીબે વાહનચાલક કે રાહદારી નીચેથી પસાર થતો ન હોવાથી મોટી દુર્ધટના ટળી હતી. પીજ ભાગોળથી વર્ગો કોમ્પલેક્ષ જવાનો મુખ્ય રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. જો કોઇ પસાર થતા સમયે આ છજુ તૂટ્યું હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી. ત્યારે છજાનો કાટમાળ રોડ પર પડતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ મોબાઈલ કંપનીનાં ટાવર નજીકથી માલસામાનની ચોરીનો પ્રયાસ કરનાર આરોપીની શહેર પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

પાલેજમાં પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ APMC માં લાગેલ આગનાં બનાવની CBI તપાસ કરાવવા બાબતે તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વહીવટદારની નિમણૂક કરવાની માંગણી કરતું આવેદનપત્ર ગુજરાત રાજયનાં રાજયપાલને સંબોધિત કરીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!