Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કો – ઓર્ડીનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) માં આજરોજ ૨૪ મી બેચનો પદવીદાન સમારોહ યોજાયો. તેમાં પ.પૂ મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા ઉપસ્થિત સંતશ્રી ઓ અને મહેમાનો  ના હસ્તે ૧૧૦ બાળકોને તેમના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

જેમાં પરમ પુજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે  બાળ માનસ વિકાસ જાગૃતિ લાવી ભાવિ પેઢીમાં વક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને,આદર્શ બને, પારિવારિકથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું જીવન આદર્શ, સંસ્કારી બને તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

જુબેર ધડિયાલી અને તેના સાગરીતો ના એક દિવસ ના રીમાન્ડ.

ProudOfGujarat

ગુજરાત યોગમુડો એસોસિએશનના ઉપક્રમે તારીખ ૨૪-૦૩-૧૯ના રોજ રાજ્ય કક્ષા રેફી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

કપડવંજમાં માર્ગ સાંકળો હોવાના કારણે વાહનચાલકોને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!