Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં રખડતા ઢોરના ત્રાસથી એક સ્કૂટીના ચાલક ધાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

Share

નડિયાદ પશ્ચિમમાં શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ પર બે ગાયોએ એક ઈલેકટ્રીક સ્કૂટીના ચાલકને ફંગોળ્યો હતો. ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

નડિયાદના ભરતભાઇ રસીકલાલ શાહ ગતરોજ સાંજના સમયે શહેરના બધિર વિદ્યાલયથી પોતાના ઘરે ઈલેકટ્રીક સ્કૂટી પર આવતાં હતા. ત્યારે નડિયાદ પશ્ચિમમા શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ  બે ગાયો એકાએક દોડતી રસ્તા પર આવી સ્કૂટી સાથે ભટકાઈ હતી. તેથી ભરતભાઈ ઉછળીને રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારત ભાઇને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ધ્રુમીલ કિશોરભાઈ શાહે નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણી બે ગાયના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાની : નડિયાદ


Share

Related posts

વલસાડ-નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત-ડુંગરી નજીક સોનવાડા પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી : ભરૂચના મકતમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે વિધ્નહર્તાના લોકોએ દર્શન કર્યા.

ProudOfGujarat

લાભી ગામે ગ્રામસભામાં રોડ રસ્તા અને આવાસ યોજનાના પ્રશ્નોની ગ્રામજનો દ્વારા રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!