Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનાં 9 કોરોના દર્દીઓ સાજા થતા એ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન મુક્ત કર્યા.

Share

નર્મદા જિલ્લામાં ગત 15મી એપ્રિલથી 17 મી એપ્રિલ દરમિયાન 11 જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવતા તંત્રમાં ચિંતા વધી હતી.હવે એ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે આવશ્યક પગલાં લેવાના ભાગ રૂપે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા.કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી કોઈ વ્યક્તિ બહાર ન જઈ શકે કે કોઈ અંદર ન આવી શકે. હવે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તાર પૈકી ગરુડેશ્વરના ખડગદા, ડેડીયાપાડાનું ડુમખલ-બઇડી-ભૂતબેડા, નાંદોદ તાલુકાના વાઘેથા-કુંવરપરા, સાગબારાનું સેલંબા તથા રાજપીપળાના રાજપૂત ફળિયું-કોલીવાડ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના દર્દીઓ સાજા થઈ જતા એમને COVID:19 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આજ દિન સુધી એ વિસ્તારમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ ન મળતા નર્મદા કલેકટર મનોજ કોઠારીએ ઉપરોક્ત વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપતો હુકમ કર્યો છે.

મોન્ટુ
રાજપીપલા નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

ઋષિ પંચમી નાં પાવન અવશરે ગુરુ ભ્રામણ સમાજ દ્વારા મહર્ષિ ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી

ProudOfGujarat

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા કલેકટર કે. એલ. બચાણીએ કપડવંજમાં હેરિટેજ વોકનું ઉદ્ઘઘાટન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!