Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનાં 9 કોરોના દર્દીઓ સાજા થતા એ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન મુક્ત કર્યા.

Share

નર્મદા જિલ્લામાં ગત 15મી એપ્રિલથી 17 મી એપ્રિલ દરમિયાન 11 જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવતા તંત્રમાં ચિંતા વધી હતી.હવે એ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે આવશ્યક પગલાં લેવાના ભાગ રૂપે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા.કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી કોઈ વ્યક્તિ બહાર ન જઈ શકે કે કોઈ અંદર ન આવી શકે. હવે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તાર પૈકી ગરુડેશ્વરના ખડગદા, ડેડીયાપાડાનું ડુમખલ-બઇડી-ભૂતબેડા, નાંદોદ તાલુકાના વાઘેથા-કુંવરપરા, સાગબારાનું સેલંબા તથા રાજપીપળાના રાજપૂત ફળિયું-કોલીવાડ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના દર્દીઓ સાજા થઈ જતા એમને COVID:19 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આજ દિન સુધી એ વિસ્તારમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ ન મળતા નર્મદા કલેકટર મનોજ કોઠારીએ ઉપરોક્ત વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપતો હુકમ કર્યો છે.

મોન્ટુ
રાજપીપલા નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં મેઘરાજા ની એન્ટ્રી

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ ધૂળિયો બનતા વાહન ચાલકો ત્રાહિમામ

ProudOfGujarat

ભરૂચ : બાળકોનાં ઓનલાઈન આર.ટી.ઇ. પ્રવેશ અંગે મૂળ નિવાસી સંધ દ્વારા ગાંધીનગર અગ્ર સચિવ (શિક્ષણ) ને આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટર મારફત અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!