Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ ટાઉનમાં રોકેટ રફતારથી બેલગામ કોરોના વાયરસ પોતાનો પંજો ફેલાવતા એક દંપતી સહિત ૭ નવા સંકમિત થયા.

Share

નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોના બેફામ બની રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેને લઇને એક દંપતી સહિત ટાઉનમા સાત લોકો નવા સંકમિત થયા છે. ત્યારે કોરોનાને કારણે ટાઉનમાં રહેતા રીટાયર્ડ નાયબ પોલીસ કમિશનરનું મોત થતા ધેરા શોકની લાગણી ફરી વળી છે. કોરોનાને લઇને ટાઉનમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોના મોત. બીજી તરફ નેત્રંગ ગ્રામપંચાયત દ્રારા કે તાલુકા પંચાયત કે પછી મામલતદાર ઓફીસ થકી ટાઉનભરમાં સેનેટાઇઝરનાં છંટકાવ કરાવવામાં આવે તેવું પ્રજામા ચર્ચાય રહયું છે.

નેત્રંગ ટાઉનમાં કોરોના સંકમિતનો આંકડો દિવસે દિવસે આગળ વધી રહ્યો છે. જેમા જાણવા મળેલ માહિતી મુજબ ગાંધી બજાર વિસ્તારમાં એક, જલારામ ફળીયામાં એક, લાલમંટોડી વિસ્તારમાં એક, જીનબજાર વિસ્તારમાં એક દંપતી સહિત અન્ય ચારથી પાંચ લોકો નવા સંકમિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. તેમજ નેત્રંગ-ડેડીયાપાડા રોડ વિસ્તારમાં રહેતા રીટાયર્ડ નાયબ પોલીસ કમિશનરનું કોરોનાની સારવાર દરમિયાન અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં મોત થતા ટાઉનમાં અત્યાર સુધીમાં કોરોનાને લઇને બે પુરુષ અને ત્રણ મહિલા મળીને કુલ પાંચ લોકોના મોત થયા છે. જયારે આરોગ્ય વિભાગ તરફથી સાચી માહિતી મળતી નથી.

Advertisement

નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પીટલ ખાતે ૩૦ બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી વેકસીન મહોત્સવના ભાગરૂપે ખડેપગે રાત્ર દિવસ પોતાની પોતાની ફરજ બજાવી લોકોને વેકસીન લેવા સમજાવી રહયા છે. તો બીજી તરફ રેફરલ હોસ્પીટલના ઇનચાર્જ મુખ્ય અધિકારી ડૉ. વિજયભાઈ બાવિસકર તેમજ બોલકહેલથ અધિકારી ડૉ. એ.એન.સીંગ તેમજ તેમનો કર્મચારીગણ કોરોનાના દર્દીઓ માટે સનેડબાય છે.


Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં નવા સંગઠનનાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટનાં હોદ્દેદાર નિમાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!