Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ : વટ સાવિત્રીનાં વ્રતની ઉજવણી કરવામાં આવી.

Share

નેત્રંગમાં વટ સાવિત્રીનાં વ્રત નિમિત્તે પરણિતાઓએ વડનું પૂજન અર્ચન કરી પતિનાં દીર્ધાયુ માટે પ્રાર્થના કરી. નેત્રંગ ખાતે આવેલાં દેવાલયોમાં સવારથી પરિણિતાઓ પૂજના અર્ચન માટે ઉમટી પડી હતી. જેઠ સુદ પૂનમનાં દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રી પૂનમનું વ્રત ઉજવાય છે. સદીઓથી ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર બનેલા વડની પૂનમનાં શુભ દિને સૌભાગ્યવતી મહિલાઓ વડનાં વૃક્ષની પુજા કરે છે. ભરૂચ અને નર્મદા જિલ્લાનાં મંદિરોમાં વહેલી સવારથી મહિલાઓની પૂજા અર્ચના કરવા ધસારો જામ્યો હતો. મહિલાઓ મંદિરો ખાતે શ્રીફળ, કંકુ – ગુલાલ, ફળફળાદિ સહિતની પૂજાપાની સામગ્રી સાથે પહોંચી હતી. શિવ અને પાર્વતીનાં દર્શન સાથે વડની જનોઇ તથા દોરા સાથે પ્રદક્ષિણા ફરી હતી. સતિ સાવિત્રી અને સત્યવાનની કથા રસપ્રદ રીતે જોડાયેલી છે. વ્રતની પાછળનો હેતુ પોતાનાં પતિનાં ર્દીઘાયુષની પ્રાપ્તિ અને પોતાના અક્ષય સૌભાગ્યની પ્રાર્થના કરી હતી. દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડનાં વૃક્ષને પાણીનું સિંચન કરી વડવૃક્ષનાં થડને સુતરનો દોરો વીટી અને મંત્ર બોલી ભકિત અને શ્રદ્ધા સાથે ચંદનનું તિલક કર્યુ હતુ. અક્ષત અને ફુલો ચઢાવવા અને પૂર્ણ સમપર્ણનાં ભાવ સાથે વડવૃક્ષની પરિક્રમા કરી હતી.મોટી સંખ્યામાં મહિલાઓએ પતિનાં દીર્ધાયુષ્ય તથા સ્વાથ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા પોલીસે લોક ડાઉનનાં સમય દરમિયાન ૨૮૯ લોકો સામે કાર્યવાહી કરી.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ 10 કેસ કોરોના પોઝિટીવ આવતા જીલ્લામાં કોરોનાનાં આંક 161 ઉપર પહોંચી ગયો છે જેમાં સંક્રમિત થનારા લોકો કોઈકનાં સંપર્કમાં આવી ચેપ ગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!