Proud of Gujarat
FeaturedEntertainmentGujarat

પાલેજમા બહુરૂપીએ ગાંડાનો રોલ આબાદ રજુ કરી સૌ કોઈને ચકિત કર્યા…

Share

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજ તા.25/06/19

પાલેજમા મહારાષ્ટ્રીયન કલાકાર દર વર્ષે બહુરૂપીનો ખેલ ભજવી રહ્યા છે અને અહીં બાળકોમા આ કલાકાર ખૂબ લોકપ્રિય પણ છે. દર વર્ષે વિવિધ વેશભૂષા ધારણ કરી નગરજનોનું મનોરંજન કરનાર આ મહારાષ્ટ્રીયન કલાકાર પોતાની જાતે જ પરિધાન પણ કરે છે.પોતે વહેલી સવારે ઉઠી મેકઅપ થી માંડી વિવિધ ડ્રેસ પહેરી પાલેજની ગલીએ ગલીએ ફરી લોકોને મનોરંજન પૂરું પાડે છે.આજરોજ પાલેજ નગરમાં બહુરૂપીનાં વેશમાં ગાંડાનું પાત્ર આબેહૂબ રજૂ કર્યું હતું. ભુલાય રહેલી બહુરૂપી કળા હજુ પણ દૂર-દૂર કેટલાક કલાકરોમાં વસી રહી છે અને આ કલા જ એમના જીવનનો ભાગ બની ગયો છે.તેમજ આવકનું મુખ્ય સ્ત્રોત બની રહેલ છે. દર વર્ષે અનેક બહુરૂપી પાત્રો રજૂ કરી ગ્રામજનોનું ખાસ કરીને બાળકોનું મનોરંજન આ કલાકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પાલેજ નગરજનો દ્વારા અંતે બહુરૂપીનો ખેલ કરતા આ મહારાષ્ટ્રીયન કલાકારને પ્રોત્સાહિત રોકડ રકમ આપવામાં આવે છે.

Advertisement


Share

Related posts

મોંઘવારી સામે જંગ… સોમવારે કોંગ્રેસ પ્રેરિત ભારત બંધનું એલાન

ProudOfGujarat

ભરૂચનાં વાલિયાના હીરાપોર ગામ ખાતે આડા સંબંધના વ્હેમમાં ધીગાણું થતા એકની હત્યા બે ઘાયલ…જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર : માં શારદા ભવન ખાતે નારી સંમેલનનું આયોજન કરાયું.

ProudOfGujarat

2 comments

DIPAKKUMAR CHHOTUBHAI VASAVA August 10, 2019 at 9:21 am

ગર્વ થી અમુ આદિવાસી ભીલ ગ્રુપ દ્વારા

૯ ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ઝઘડીયા તાલુકામાં પ્રથમવાર કરવા માં આવ્યુ હતુ. જેમાં ઝઘડીયા તાલુકાના આગેવાનો નામે દિપક વસાવા (રઝલવાડા),લાલા વસાવા(હિંગોરીયા),સુરેશ વસાવા (સુલતાનપુરા),નિલેશ વસાવા(ભોજપુર),રમણ વસાવા-કમલેશ વસાવા(દુ. માલપોર)તેમજ સમાજ ના જાગૃત આગેવાનો સહીત તાલુકા ના સેવા-ભાવી ભાઈ-બહેનોએ અથાક પ્રયત્નો અને સહયોગ થી ખુબ જ સારો પ્રતિસાદ અને સફળતા મળી હતી.
ગર્વ થી અમુ આદિવાસી ભીલ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આદિવાસી સમાજ માં જન-જાગૃતિ(આદિવાસી સંસ્કૃતિ અને રીતી રીવાજો જાળવી રાખવી)શિક્ષણ/વ્યસન મુક્ત સમાજ/ અંધવિશ્વાસ થી વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ લઈ જવાંનો છે.

-ગર્વ થી અમુ આદિવાસી ભીલ
જય આદિવાસી
જય જોહાર

Reply
DIPAKKUMAR CHHOTUBHAI VASAVA August 10, 2019 at 9:21 am

ગર્વ થી અમુ આદિવાસી ભીલ ગ્રુપ દ્વારા

૯ ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ઝઘડીયા તાલુકામાં પ્રથમવાર કરવા માં આવ્યુ હતુ. જેમાં ઝઘડીયા તાલુકાના આગેવાનો નામે દિપક વસાવા (રઝલવાડા),લાલા વસાવા(હિંગોરીયા),સુરેશ વસાવા (સુલતાનપુરા),નિલેશ વસાવા(ભોજપુર),રમણ વસાવા-કમલેશ વસાવા(દુ. માલપોર)તેમજ સમાજ ના જાગૃત આગેવાનો સહીત તાલુકા ના સેવા-ભાવી ભાઈ-બહેનોએ અથાક પ્રયત્નો અને સહયોગ થી ખુબ જ સારો પ્રતિસાદ અને સફળતા મળી હતી.
ગર્વ થી અમુ આદિવાસી ભીલ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આદિવાસી સમાજ માં જન-જાગૃતિ(આદિવાસી સંસ્કૃતિ અને રીતી રીવાજો જાળવી રાખવી)શિક્ષણ/વ્યસન મુક્ત સમાજ/ અંધવિશ્વાસ થી વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ લઈ જવાંનો છે.

-ગર્વ થી અમુ આદિવાસી ભીલ
જય આદિવાસી
જય જોહાર

Reply

Leave a Comment

error: Content is protected !!