Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી રવિવારના રોજ મુસ્લિમ સમાજના ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર બી. એમ. પાટીદારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઇદે મિલાદ પર્વ ભાઇચારા તેમજ કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી.

સાથે સાથે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા વિશેષ સૂચન કર્યું હતું. ઇદે મિલાદ પર્વ સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા અપીલ કરી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઇદે મિલાદ ઝુલુસના આયોજકો મુસ્તુફાભાઇ લાંગિયા, હાજી ઝફુરખાં પઠાણ, ઇકબાલ ટેલર, રઇસ વકિલ, મોહસીન કાપડિયા, ઇમરાન કાપડિયા, ગુલામ બાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલ પત્રમાં સ્ફોટક રજૂઆત કરી.

ProudOfGujarat

SOU- એકતાનગર ખાતે આજથી બે દિવસીય યોજાયેલી દેશની પ્રથમ યુવા બાબતો અને રમત-ગમતની ‘રાષ્ટ્રીય પરિષદ’નો શુભારંભ.

ProudOfGujarat

ભરૂચમાંથી પસાર થતી કરજણની નર્મદા માઇનોર કેનાલમાં ઝાડી ઝાખરા સાફ નહીં કરવા અને સફાઈ નહીં કરતાં કાચી નહેર લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!