Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે નવરાત્રીના પ્રથમ દિવસે માઇભકતોએ મા મહાકાલીના દર્શન કરી મસ્તક નમાવીને ધન્યતા અનુભવી હતી.

Share

દેશભરમા હિન્દુ ધર્મના સૌથી મોટા ગણાતા નવરાત્રીના તહેવારનો આજથી પ્રારંભ થયો છે. માઇભકતો ૯ દિવસ ઉપવાસ તેમજ આરાધના કરી માતાજીના પુજન અર્ચન કરશે.પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે પણ આજે માઇભકતોએ મા મહાકાલીના વર્ચ્યુઅલ દર્શન કર્યા હતા. એક તરફ કોરોનાની વધતી મહામારી ને પગલે આ વખતે પાવાગઢ નું મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જેના બદલે ભકતોની આસ્થાને ધ્યાનમા રાખીને અહી ડીઝીટલ એલઇડી સ્ર્કિન માંચી ખાતે મુકવામા આવી છે. જેના પર દર્શન ભાવિકો કરી શકે. મંદિર પ્રશાસન દ્વારા પણ આવનાર ભકતો સારી રીતે દર્શન કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામા આવી રહી છે. અહી આવનાર ભકતો સોશિયલ ડીસટન્સનુ પાલન કરે તેની પુરી તકેદારી રાખવામા આવી છે. પાવાગઢ તળેટીથી માચી સુધી જવા એસટીબસો પણ દોડાવામા આવી રહી છે. પાર્કીગની પણ વ્યવસ્થા કરવામા આવી છે. કાયદો અને વ્યવસ્થા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મહાકાલી મંદિર બંધ હોવાને કારણે ભકતોની સંખ્યામા ઘટાડો જોવા મળે તેમ પણ લાગી રહ્યુ છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામા બીટીપીએ CAA અને NRCના વિરોધમાં આપેલ બંધના એલાનને ડેડીયાપાડા સહિત વિસ્તારોમાં ભારે પ્રતિસાદ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતેથી જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો

ProudOfGujarat

ભાજપે 160 ઉમેદવારોના નામો સત્તાવાર રીતે કર્યા જાહેર, જાણો કોના પત્તા કપાયા કોનો થયો સમાવેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!