Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત ઘોઘંબાના ખીલોડી ગામના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

Share

ઘોઘંબા તાલુકાના ખીલોડી ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત સભા રાખવામાં આવી.તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆની આગેવાનીમાં રાખવામાં આવેલી સભામાં મોટી સંખ્યામાં ગામમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીની સક્રિયતાથી તાલુકામાંથી ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે.તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆનો સંપર્ક કરી રહ્યા છે. જેથી જિલ્લા પ્રમુખે દરેક તાલુકા પ્રમુખને લોક સંપર્ક વધારવા સૂચના આપવામાં આવી છે. આ સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં તાલુકા ઉપપ્રમુખ પ્રમુખ જગદીશભાઈ પરમાર, જિલ્લા યુવા મહામંત્રી ભરતભાઈ રાઠવા સહિતના કાર્યકરો જોડાયા હતા.
રાજુ સોલંકી ,પંચમહાલ

Advertisement

Share

Related posts

ઉત્તરપ્રદેશના ગોરખપુરથી મક્કા મદીના સાયકલ પર હજ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

ProudOfGujarat

વડોદરાની સ્પંદન સ્કુલમાં બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોને વેક્સિન અપાઈ.

ProudOfGujarat

ટપાલ વિભાગમાં વીમા એજન્ટ બનવાની સુવર્ણ તક : ભરૂચમાં 20 જુલાઈએ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ માટે વોક-ઈન-ઇન્ટરવ્યૂ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!