Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરા તાલુકાના ધાંધલપુર ગામે આમ આદમી પાર્ટીની ખાસ મિંટીગ યોજાઈ

Share

સત્તા પક્ષ અને વિપક્ષની નબળી કામગીરી અને તેમના પ્રત્યેના અસંતોષના કારણે ગુજરાતમાં લોકો પરેશાન થયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં નવો આશાવાદ જાગ્યો છે. શહેરા તાલુકાના ધાંધલપુર ગામે ભગવાન શિવ મંદિરના સાનિધ્યમાં આમ આદમી પાર્ટીની લોક સંવાદ મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં ગામમાંથી સાહીઠ જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા.જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ લોકો સાથે સંવાદ ચાલું કર્યો તે સાથે જ ઝરમર વરસાદ ચાલુ થયો હતો લગભગ બે કલાક ચાલેલી આ મિટિંગમાં સતત ઝરમર વરસાદ હોવા છતાં ગામ લોકોએ જગ્યા છોડી ન હતી અને જિલ્લા પ્રમુખને કહ્યું હતું કે, આપ આપનું કામ ચાલુ રાખો અમે વરસાદમાં પલડીશુ અમે હવે બધું સહન કરવા તૈયાર છીએ. બદલાવ લાવવો હશે તો પહેલાં પોતે બદલાવું પડશે તેવી ગામ લોકોએ વાત કરતાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌનો દિલથી આભાર માન્યો હતો અને મિટિંગ ચાલું રાખી હતી.

ગુજરાતમાં અત્યાર સુધીનું શાસન, સત્તા પક્ષ અને વિપક્ષની નબળી કામગીરી, સરકારની નિષ્ફળતા એના પરથી ખબર પડે છે કે હજું જોઇએ તે પ્રમાણે સામૂહિક સુખાકારીના લાભોથી લોકો વંચિત છે.

Advertisement

એક તરફી, મારા તારા, વ્હાલા દવલા, અને પોતાના ગણ્યા ગાંઠ્યા કાર્યકરોનો વ્યક્તિગત વિકાસ આ સત્તા પક્ષ અને સરકાર કરતી હોય એવું સ્પષ્ટપણે દેખાઇ છે તેથી હવે સત્તા પરિવર્તન એ આનો ઉકેલ છે તેમ જણાવ્યું હતું.સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લહેર છે, લોકોને જરૂર છે, લોકોની આશા છે એવું સ્પષ્ટપણે હવે દેખાય છે. આજે બે કલાક સુધી ચાલેલી મિટિંગમાં ઝરમર વરસાદ વરસ્યો હતો છતાં ગામ લોકો આ મિટિંગમાં ઉત્સાહ અને ઉમંગથી બેઠા હતા.

ગામના અગ્રણી વડીલ પ્રતાપભાઈ આને યુવા મિત્રના આયોજનથી આ મિટિંગ રાખવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકોએ આમ આદમી પાર્ટીની ટોપી પહેરી ખુશ થયા હતા ગૌરવ અનુભવતા જોવા મળ્યાં.જિલ્લા ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા, જિલ્લા સહ સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, મધ્ય ઉત્તર ઝોનના કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રાજુ સોલંકી, પંચમહાલ .


Share

Related posts

બાળકોને ઉઠાવી જતી ટોળકીની અફવા મામલે ઇન્ચાર્જ ડીજીપી મોહન ઝા એ બોલાવી ઉચ્ચ અધિકારીઓની બેઠક સીઆઇડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયા,અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત :અફવા ફેલાવનારા પર કાર્યવાહીના આદેશ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા માટે યોજાય પત્રકાર પરિષદ

ProudOfGujarat

ભરૂચ તાલુકામાં અાવેલાં કુકરવાડા ગામ પાસે અેલઅેન્ડટી કંપની દ્વારા રેલવે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. દરમિયાન અાજે સવારે અેક શ્રમજીવી બ્રીજ પરથી નીચે પટકાતાં તેનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!