Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાટણ : ઋષિ પંચમી નિમિત્તે મહિલાઓએ માટીમાંથી ઋષિઓની પ્રતિકૃતિ બનાવી પુજન કર્યું

Share

પાટણમાં આજે ઋષિ પંચમીના દિવસે મહિલાઓએ માટીમાંથી બનાવેલા ઋષિઓની પ્રતિકૃતિનું પુજન કર્યું હતું. આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. શ્રીમાળી સામવૈદી બ્રહ્મ સમાજની મહિલાઓએ સમૂહ પૂજાનો લાભ લીધો હતો.

પાટણમાં ઋષિ પંચમીના દિવસે મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલા ઋષિઓની પ્રતિકૃતિનું કર્યું હતું. આ અંગે ભાદરવા સુદ પાંચમના પવિત્ર દિવસે આસ્થાળુ લોકો વ્રત, જપ, તપ કરી પુણ્યનું ભાથુ બાંધે છે. ત્યારે આ પવિત્ર પાંચમને ઋષિ પાંચમ તેમજ સામા પાંચમ તરીકે પણ ઉજવવામાં આવે છે.

Advertisement

ઋષિ પાંચમે બહેનો દ્વારા સાત ઋષિઓની માટીમાંથી તૈયાર કરવામાં આવેલી પ્રતિકૃતિની પુજા કરવામાં આવે છે અને ઋષિ પંચમી મહિલાઓ વ્રતની કથા સાંભળે છે. આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. ઋષિ પાંચમનું વ્રત કરતી મહિલાઓ પાંચમનું ફરાળ કરી પુણ્ય અર્પણ કરે છે. શહેરના બગેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમજ શહેરના વેરાઈ ચકલા સ્થિત શ્રીમાળી સામવૈદી બ્રહ્મ સમાજની વાડી ખાતે સમાજની મહિલાઓ દ્વારા ઋષિ પાંચમની સમુહમાં પુજા વિધિ કરી ધન્યતા અનુભવી હતી.


Share

Related posts

ભરૂચનાં બાયપાસ રોડ પર પોલીસે ફ્રૂટની લારીની તોડફોડ કરતા વેપારીઓમાં રોષની લાગણી…

ProudOfGujarat

ભરૂચના ૩ તાલુકાઓમાં મનરેગા કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરાઈ 

ProudOfGujarat

રાજપીપળા : ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે ભવ્ય સંગીતમય સુંદરકાંડનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!