Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ડેડીયાપાડાના બુરી ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
રવીના વસાવાના એક વર્ષ અગાઉ જીતેન્દ્ર સાથે લગ્ન થયા હતા બાદ જીતેન્દ્ર એને માનસિક ત્રાસ આપતો હતો,વારંવારના ત્રાસથી કંટાળી રવીનાએ સોમવારે ગામની સીમમાં ફાંસો ખાઈ લીધો.
નાંદોદ તાલુકાના બીતાળા ગામે હાલમાં જ પ્રેમલગ્ન મુદ્દે યુવાનના માતા-પિતાને યુવતીના પિતાએ ઢોર માર માર્યો હતો.બાદ યુવતીની માતાને તો ઢોરની જેમ ખૂંટે બાંધી રાખી હતી.મહિલા અત્યાચારની આ શરમજનક ઘટના બાદ નર્મદા જિલ્લાના ડેડીયાપડામાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ગળે ફાંસો ખાધો હોવાનો બીજો મહિલા અત્યાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જોકે આ મામલે ડેડીયાપડા પોલિસે પતિ વિરુદ્ધ પત્નીને ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરવાનો ગુનો નોંધી પતિને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ મામલે મળતી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના બુરી ગામે રહેતી રવિનાબેન વસાવાના લગ્ન એક વર્ષ પેહલા ગામના જ જીતેન્દ્ર રૂપસિંગ વસાવા સાથે થયા હતા.બાદ એક જ મહિનામાં જીતેન્દ્ર તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો અને 19-2-18 ના રોજ સવારે 9 વાગે પણ આ ઝગડો અને ત્રાસનો સિલસિલો યથાવત હતો.જેમાં ઢોર ચારવા બાબતે બન્ને વચ્ચે ઝગડો થતા જીતેન્દ્રએ રવીનાને માર માર્યો હતો.વારંવારના ઝગડા અને માનસિક શારીરિક ત્રાસથી કંટાળીને રવીનાએ તેજ સમયે બુરી ગામની સિમમાં જઈ ગળે ફાસો ખાઈ લીધો હતો.આ ઘટનાની વાતો ગામમાં વાયુવેગે ફેલાતા ચકચાર મચી હતી.ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્યાં આવી બાજી સાંભળી હતી અને ગુરુજી ગોમાં વસાવાની ફરિયાદના આધારે પતિ જીતેન્દ્ર વિરુદ્ધ રવીનાને ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરી હોવાનો ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ કેશની તપાસ ડેડીયાપાડા પી.એસ.આઇ. વી.એસ.ગઢવી કરી રહ્યા છે.

Share

Related posts

વાવે ગુજરાત અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરા ગામે ૫૦૦૦ જેટલા વૃક્ષ નું રોપણ કરવામાં આવ્યું હતું…..

ProudOfGujarat

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે SOG ના દરોડા, શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો તેમજ બોલેરો પીકઅપ ઝડપાઈ, બે ઈસમોની ધરપકડ

ProudOfGujarat
error: Content is protected !!