Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા : અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ : મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત.

Share

છેલ્લા કેટલાક વખતથી સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોનો ગેરલાભ લેતા બિનઆદિવાસીઓના પ્રમાણ
પત્રો રદ કરવા અને આદિવાસી સમાજના પ્રમાણપત્રની ખરાઈ જલ્દીથી થાય તે માટે મુખ્યમંત્રી સુધી લેખિત રજુઆત કરી આદિવાસીઓની પડખે રહી આદિવાસીઓના પ્રશ્ને સતત લડતા રહ્યા છે. જેમાં મોટે ભાગે તેમનો વિજય થતો રહ્યો છે. આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાના મામલે પણ મનસુખભાઇ વસાવાની જીત થઈ હતી. આખરે મનસુખભાઇ વસાવાની મહેનત રંગ લાવી છે. અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવતા આદિવાસીઓના મુખે રેલાયુ સ્મિત રેલાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ અંગેનો કાયદો વર્ષ ૨૦૧૭ માં પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપીને તેનો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના 33 જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરીને ચાર કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. જે પૈકી ગાંધીનગર ખાતે આજે બે કચેરીઓનો શુભારંભ કરાયો છે. જેમાં કલેકટર કક્ષાના ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં વડોદરા અને સુરત ખાતે આવી બે કચેરીઓ કાર્યરત કરવામાં આવશે.

Advertisement

ગાંધીનગર ખાતે બ્લોક નંબર ૧૩, જુના સચિવાલય અને બિરસા મુંડા ભવન ખાતે કાર્યરત થયેલી આ કચેરીઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, મહેસાણા, પાટણ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ પોરબંદર અને અમરેલી જિલ્લાનો સમાવેશ કરાયો છે. જયારે વડોદરા ખાતે કાર્યરત થનાર કચેરીમાં વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લો તથા સુરત ખાતેની કચેરીમાં સુરત તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાને આવરી લેવાશે. આ શુભારંભ દ્વારા આદિવાસી ભાઈ-બહેનોને જે લાભ અને કાર્ય સરળતા થશે.

સાંસદ મનસુખભાઈ વસાવાની મુખ્યમંત્રીને લેખિત રજૂઆતના કારણે આદિવાસી સમાજના પ્રમાણપત્રની ખરાઈ જલ્દીથી થાય માટે આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને સૌ આદિવાસીઓ આવકારી રહ્યા છે અને આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ નર્મદાના આદિવાસીઓ મા આનંદની લાગણી પ્રસરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ ના કસક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા ની વિવાદિત કમેન્ટ કેમેરા માં કેદ થવા પામી હતી.. સ્વચ્છતા કરતા સમયે કથિત ખાલી દેશી દારૂની પોટલીઓનો ઢગ ઉઠાવતા સાંસદ એ હાસ્યમાં શુ કમેન્ટ આપી…જુઓ

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં ધૂળેટી પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નબીપુરમાં પીર ખોજનદીશા બાવાના ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!