Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના સીસોદરા ગામે પરિણીતાને માર મારી શારીરીક માનસીક ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઈ.

Share

નાંદોદ તાલુકાના સીસોદરા ગામે પરિણીતાને માર-મારી શારીરીક માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી શારીરિક અડપલા કરી છેડતી કરવાના ગુનાની ફરિયાદ પાંચ આરોપીઓ સામે આમલેથા પોલીસ મથકમાં નોધાઈ છે.

જેમાં ભોગ બનનાર ફરીયાદીબેને આરોપીઓ ૧) પ્રવિણભાઇ શામળભાઇ પટેલ (૨) કૈલાશબેન પ્રવિણભાઇ પટેલ(૩) અંકુરભાઇ રમેશભાઇ પટેલ ત્રણેય રહે.સીસોદરા તા.નાંદોદ જી.નર્મદા (૪) જયવંતકુમાર ચુનિલાલભાઈ પટેલ (૫) સેજલબેન જયવંતભાઈ પટેલ ( રહે.ઉમલ્લા તા.ઝઘડીયા જી.ભરૂચ)સામે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર તા.૧૭/૦૩/ર૦૦૧ ના રોજ ફરીયાબેનને આ કામના આરોપીઓએ ફરીયાદીબેનના પતિનું અવશાન થયેલ તે બાદ ફરીયાદીબેનને તેના ઘરમાંથી કાઢી મુકવા માટે ફરીયાદીને ગમે તેમ ગાળોબોલી માર-મારી શારીરીક માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી તેમજ ગઈ તા.૦૪/૦૩/૨૦૦૧ થી તા.૧૭/૦૩/ર૦ર૫ ના સમયગાળા દરમ્યાન આ કામના આરોપી અંકુરભાઇએ બે-ત્રણ વાર ફરીયાદીબેનના શરીરે અડપલા કરી છેડતી કરી ગુનો કરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ રોટરી ફેમિના દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ, પ્રોટીન કીટનું વિતરણ, ગર્ભ સંસ્કાર પર સેમિનાર યોજાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરની બદલી થતા વિદાય-સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલના ગોધરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતી નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અને રેલીનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!