Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે આગામી બે-ત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા.

Share

રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે તેરી જનસુખાકારી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ પુછાયેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો ક્યારે શરૂ કરાશે ? આ અંગે પૂછયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે બાળકો કેન્દ્ર સ્થાને છે, બાળકોની સ્વાસ્થ્યની ચિંતા સરકારને છે. હવે પ્રાથમિક શાળાઓ ક્યારથી શરૂ કરવી તે અંગેનો નિર્ણય 9 મી ઓગસ્ટના સરકારના કાર્યક્રમ પૂર્ણ થયા પછી બે-ત્રણ દિવસમાં કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાશે. આવા નિયો કોર કમિટીની બેઠકમાં લેવાતા હોય છે અને તે પણ તબક્કાવાર નિર્ણયો લેવાતા હોય છે. પહેલા ધોરણ 7, પછી ધોરણ 12, ત્યારબાદ ધોરણ 9, 10, 11 શાળાઓ શરૂ કરાઈ. હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. એ માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ વાલીઓ પણ ખૂબ ઉત્સુક છે. ત્યારે ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બાદ આ બાદ આ નિર્ણય લેવાશે એમા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરતમાં ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ : યુવાનો સાથે મહિલાઓ પણ આપમાં જોડાઈ…

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : બે ના મોત , 30 ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

વિસાવદર તાલુકાનાં મોટા ભલગામ મિડલ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા ગીર મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!