Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે આગામી બે-ત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા.

Share

રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે તેરી જનસુખાકારી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ પુછાયેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો ક્યારે શરૂ કરાશે ? આ અંગે પૂછયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે બાળકો કેન્દ્ર સ્થાને છે, બાળકોની સ્વાસ્થ્યની ચિંતા સરકારને છે. હવે પ્રાથમિક શાળાઓ ક્યારથી શરૂ કરવી તે અંગેનો નિર્ણય 9 મી ઓગસ્ટના સરકારના કાર્યક્રમ પૂર્ણ થયા પછી બે-ત્રણ દિવસમાં કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાશે. આવા નિયો કોર કમિટીની બેઠકમાં લેવાતા હોય છે અને તે પણ તબક્કાવાર નિર્ણયો લેવાતા હોય છે. પહેલા ધોરણ 7, પછી ધોરણ 12, ત્યારબાદ ધોરણ 9, 10, 11 શાળાઓ શરૂ કરાઈ. હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. એ માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ વાલીઓ પણ ખૂબ ઉત્સુક છે. ત્યારે ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બાદ આ બાદ આ નિર્ણય લેવાશે એમા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતી બુટલેગરો પર વાલિયા પોલીસે રેડ કરતાં બુટલેગરો ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર : આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે

ProudOfGujarat

નેત્રંગ ડેડીયાપાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પા ચાલકને માર મારી 15 ભેંસ ભરેલા ટેમ્પા સહિત રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થયેલ લૂંટારુઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયાં હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!