Proud of Gujarat
FeaturedGujaratINDIA

સિંચાઇ યોજનાનું કામનું નિરીક્ષણ કરી આદિવાસી સમાજને સિંચાઇની સુવિધા મળે તે માટે વેગ આપતા પૂર્વ કેબિનેટ મંત્રી.

Share

તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ કર્યું હતું. તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખભાઇ વસાવા, પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોતીલાલભાઈ વસાવા (ડેડીયાપાડા), સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, શંકરભાઈ વસાવા, ડેડીયાપાડા તાલુકા ભાજપા ડેડીયાપાડા જોડાયા હતા.

ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજને સિંચાઈ માટેની સુવિધા મળે અને આદિવાસી સમાજ ખુબ પ્રગતિ કરે એના માટે તમામ લોકો સાથે જાત નિરીક્ષણ કર્યું હતું અને, સિંચાઈ વિભાગના અધિકારી તેમજ એલ. એન.ટી કંપનીના એન્જીનીયર સાથે સ્થળ પર મિટિંગ કરી જલ્દીથી જલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી મંત્રી ગણપતસિંહ વસાવાએ આપી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝંખવાવ-ઘોડબાર રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 57 વર્ષીય પ્રૌઢનું મોત

ProudOfGujarat

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે “સમર સ્કીલ વર્કશોપ – ૨૦૨૩” ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!