Proud of Gujarat
INDIAFeaturedGujarat

લતા મંગેશકરના નિધન બાદ રાજપીપલા વિજયસિંહ ચોક તથા કેવડિયામાં એકતાનગરમાં રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવાયો.

Share

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના દુઃખ નિધન બાદ દેશભરમાં બે દિવસનો શોક મનાવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રાષ્ટ્રીય શોક મનાવાયો હતો જેમાં રાષ્ટ્રીય શોક હોવાને કારણે રાજપીપલા વિજયસિંહ ચોક ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો હતો. તેમજ એ ઉપરાંત કેવડિયા ખાતે એસઓયુ, એકતાનગરમાં રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજઅડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. બે દિવસ સુધી આ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. સ્વર સામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરનું નિધન થતાં કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોક જાહેર થાય ત્યારે ભારતીય તિરંગો જ્યા હોય ત્યાં તમામ સ્થળો પર તેને અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે તે મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ બે દિવસ ફરકાવેલો રાખવામાં આવશે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજ્યપાલના સંબોધન સાથે ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આરંભ કરાયો

ProudOfGujarat

ડેડીયાપાડા: બાળકોનું ભાવિ અંધકારમાં : ખુરદી ગામે આવેલી 1 થી 8 ધોરણની પ્રાથમીક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!