Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર, ભયજન સપાટીએ આવતા ફરી પાણી છોડવામાં આવ્યુ.

Share

નર્મદા ડેમની ભયજનક સપાટીના કારણે ડેમના દરવાજાઓ ફરી ખોલવામાં આવી રહ્યા છે. નર્મદા ડેમની જળસપાટી અત્યારે 136 મીટર પર પહોંચી છે. જેના કારણે 10 દરવાજાઓ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ વખતે રાજ્યના વિવિધ ડેમો પાણીથી છલકાઈ રહ્યા છે. 207 ડેમની અંદર પાણીના નવા નીરની આવક થઈ છે. જેમાં નર્મદા સહીત ઘણા ડેમોની ભયજનક સપાટી પણ જોવા મળી રહી છે. 100 ટકા ગુજરાતમાં વરસાદ થતા જળાશયો, નદી, નાળાઓ છલકાઈ રહ્યા છે.

Advertisement

ગુજરાતની જીવાદોરી નર્મદામાં અત્યારે ભયજન સપાટીથી અત્યારે 2.68 મીટર જેટલી દૂર છે ત્યારે અગાઉ પણ 23 દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સામે જાવક ઓછી છે. નર્મદામાં અત્યારે 1.62 લાખ પાણીની આવક થઈ રહી છે જ્યારે તેની સામે 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાવરહાઉસમાંથી 44 હજાર 199 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ નર્મદા ડેમમાં 4 હજાર 921 MCM લાઇવ પાણીનો જથ્થો નોંધાયો છે.

સતત પાણીની આવક વધતા 10 દરવાજાઓ બે દિવસ પહેલા પણ ખોલવામાં આવ્યા હતા. 1 લાખ 62 હજાર 292 ક્યુસેક પાણીની આવક નર્મદામાં ઉપરવાસમાંથી પાણી છોડાતા બે દિવસ પહેલા પણ વધ્યું હતું ત્યારે ફરી પાણીની આવક થઈ છે.


Share

Related posts

વલસાડ : જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મોગરાવાડી ગરનાળુ ચાલુ રહેશે : કલેકટર આર આર રાવલ.

ProudOfGujarat

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ટોલ નાકા વચ્ચે અકસ્માતમાં બે ને ઇજા એકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!