Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનાં કોરોનાનાં 9 દર્દીઓને સાજા કરનાર તબીબ ડો.મેંણાતનું લોકોએ સ્વાગત કર્યું.

Share

કોરોનાનો કેહેર આખી દુનિયામાં વર્તાઈ રહ્યો છે.ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.આરોગ્ય કર્મચારીઓ પોતાના ઘર-બારની ચિંતા કર્યા વિના દિવસ-રાત કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.એના પરિણામ સ્વરૂપે કોરોનાના ઘણા દર્દીઓ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી પોતાના ઘરે પણ ગયા છે પણ રાજપીપળા સિવિલમાં નર્મદા જિલ્લામાં પણ એક પછી એક કોરોનાના 12 કેસો સામે આવતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે 2012 થી સતત ફરજ બજાવતા ફિઝિશિયન ડો. મેંણાતે પ્રણ લીધા કે જ્યાં સુધી હું કોરોનાના દર્દીઓને સ્વસ્થ નહીં કરું ત્યાં સુધી હું ઘરે જઈશ નહિ. નર્મદા જિલ્લાના 12 પૈકી 9 દર્દીઓના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા 29 મી એપ્રિલે એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.લગભગ એક મહિના બાદ તેઓ પોતાના રાજપીપળા દોલત બજાર ખાતેના ઘરે જવા રવાના થયા હતા.એ વિસ્તારના લોકોએ એમને સરપ્રાઈઝ આપી હતી, ડો.મેંણાત જેવા ગાડીમાંથી નીચે ઉતરી ઘર તરફ જવા ડગ માંડયા કે લોકોએ એમના પર ચારેવ તરફથી ફૂલોનો વરસાદ વર્ષાવ્યો હતો.”ભારત માતાકી જય” ના નારાથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, અમુક લોકોએ તો એમની રીતસરની આરતી પણ ઉતારી હતી.આવા જ અનેક કોરોના વોરિયર્સને લીધે આજે કોરોનાના દર્દીઓ કોરોનાને મ્હાત આપી રહ્યા છે.સતત એક મહિનાથી covid-19 હોસ્પિટલમાં ફરજ બજાવી કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરી ઘરે પરત ફર્યા દરમિયાન રાજપીપળા દોલત બજારનાં રહેવાસીઓએ અભૂતપૂર્વ સ્વાગત કરતા ડો.મેંણાત ભાવ વિભોર થયા હતા.

મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

સુરત જિલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ પદે સિમોદરા ગામના દિનેશ સોલંકીની વરણી કરાઇ.

ProudOfGujarat

ચોમાસામાં 4 માસ બંધ રહ્યાં બાદ સિંહ દર્શન માટે જંગલનાં દ્વાર ખુલ્યા, પર્યટકો ઉમટ્યાં

ProudOfGujarat

અંકલેશ્વર- હિન્દુઓની આસ્થા થી જોડાયેલું રામકુંડ સુકાઈને કોરુકટ બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!