Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમમાં પહેલીવાર પાણીની અધધ આવક 7,75,993 ક્યુસેક થઈ.

Share

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ક્રમશ: વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પહેલીવાર પાણીની અધધ આવક 7,75,993 ક્યુસેક થઈછે. ઉપરવાસમા ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના ૨૩ દરવાજાને ૩.૦૫ મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી હાલમાં આશરે સરેરાશ 7 લાખ ક્યુસેકથી વધુ પાણીના જથ્થાની આવક થઇ રહી છે અને આ લેવલે ડેમના જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૮,૫૯૯.૩૦ મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે. ડેમની જળ સપાટી ૧૩૫.૯૫ મીટરે નોંધાઇ હતી. આજની સ્થિતીએ નર્મદા ડેમમાં પાણીનો ૯૧ ટકા જથ્થો ભરાયેલ છે. આશરે છેલ્લા 35 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 35 દિવસમાં આશરે કુલ રૂા.૧૬૧.૭૬ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી નદીમાં પાણીનીઆવક 7,75,993 ક્યુસેક સામે નદીમાં કુલ જાવક 5,44,673 ક્યુસેક ઘટાડાઈ છે. તદઉપરાંત ભૂગર્ભ વિદ્યુત જળ મથક દ્વારા વિજ ઉત્પાદન બાદ ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ-૨.૯૫ લાખ પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો હતો અને ભૂગર્ભ જળ વિદ્યુત મથકમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ સરેરાશ આશરે ૩.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો.

આશરે છેલ્લા 35 દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ ૦૬ યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા 35 દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતનુ ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આમ આજદિન સહિત 35 દિવસથી આશરે કુલ રૂા.૧૫૦ કરોડનું વિજ ઉત્પાદન કરાયું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ તા.૧૨ મી ઓગષ્ટથી સતત કાર્યરત છે. હાલમાં સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૧૭ હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ૧૨ દિવસમાં આશરે કુલ રૂા.૧૧.૭૬ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાનાં ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર સાબદુ કરાયું છે. તેમજ તિલકવાડા, ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકા મામલતદાર સહિત સંબંધકર્તા તમામ વિભાગના અધિકારીને પુરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્ર તરફથી આપવામાં આવી છે. અને નિચાણવાળા કાંઠા વિસ્તારના સંભવત: અસરગ્રસ્ત ગામોના લોકોને નદીમા અવર-જવર ન કરવા તેમજ પશુઓની અવર-જવર ન થાય તે માટે સાવધ કરવામાં આવ્યાં છે.

તદ્ઉપરાંત, જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદીકાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરીકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : નબીપુર ખાતે શ્રમકાર્ડ અને આધારકાર્ડ લિંકની સમજૂતી માટે શિબિર યોજાઇ.

ProudOfGujarat

વાગરા ની વિલાયત જીઆઈડીસી માં શ્રમિકો ભરેલ ટેમ્પો પલ્ટી મારવા ની ઘટનામાં બે ના મોત, ડ્રાઇવર પર દોષ નો ટોપલો જ્યુબીલન્ટ કંપની અને કોન્ટ્રાકટર સામે પોલીસ ની ઢીલાસ

ProudOfGujarat

રાજપારડી નજીક મોટરસાયકલ પર લઇ જવાતા વિદેશી દારૂ સાથે એકની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!