Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ધારીખેડામાં શેરડી પીલાણનો પ્રારંભ કરાયો.

Share

ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા શેરડી પીલાણનો પ્રારંભ નવા વર્ષના પ્રારંભે તા.2 નવેમ્બરનાં રોજ સાધુ સંતો તથા ચેરમેન ઘનશ્યામ પટેલ, વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર, એમડી નરેન્દ્રભાઈ પટેલ તેમજ ડિરેકટરોની ઉપસ્થિતિમા શરૂ થયો હતો. જેમાં ચાલુ વર્ષે સૌથી વધુ વિક્રમજનક 8 લાખ ટન શેરડી પીલાણના લક્ષ્યાંક સાથે પ્રારંભ થયો હતો. પૂજનવિધિ સાથેબોઈલર પ્રદીપ્ત કરી શેરડી પીલાણનો પ્રારંભ થયો હતો.

સાચા અર્થમાં ખેડૂતોની જીવાદોરી બનેલ નર્મદા સુગરમા આ વર્ષે પણ 8 લાખ ટન વધુ શેરડી પિલાણ થવા જઈ રહ્યું છે. જેમાંથી 8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થશે જે રિફાઇન સુગર એટલે કે સલ્ફરને સુગર જેની બજારમાં ખૂબ માંગ છે તેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દેશમા ઇથેનોલ બનાવવો. અને દેશને આત્મનિર્ભર બનાવવો. અમે નર્મદા સુગરમાં આ વર્ષે 1.20 કરોડ લીટર કરતાં વધુ ઇથેનોલ બનાવવાના છીએ. આ ઈથેનોલ પેટ્રોલમાં મિક્સ કરવામાં ખાસ તો વપરાય છે. જેનાથી વિદેશી હુડીયામણ બચે છે. જે ખાદ્ય પદાર્થો અને દવાઓ બનાવવામા પણ ઇથેનોલ વપરાશે. વધુમાં આજે દેશમાં પોટાશની પણ અછત છે. તેથી નર્મદા સુગર ઓર્ગેનિક દાણાદાર પોટાશ બનાવશે. કુલ 50,000 બેગ બનાવશે. જેમાં 50 કિલોની 2 થી 2.5 લાખ બેગ બનાવશે. એ ઉપરાંત દેશને CO2, કાર્બનડાયોક્સાઇની પણ ખૂબ જરૂર છે. તેથી અમે CO2, કાર્બન ડાયોક્સાઇની પણ બનાવશું. જે ઇન્ડસ્ટ્રીમાં તેની ખૂબ માંગ રહે છે અમે બગાસનું વેચાણ કરીને ખેડૂતોને ઊંચો ભાવ મળે તેવા પ્રયત્ન કરીશું. ખાસ કરીને બગાસ ફાયર ઇન્ડસ્ટ્રીઝમાં, પ્લાયવુડ બનાવવામાં અને બળતણ તરીકે તેની ખૂબ માંગ છે.

જયારે એમ ડી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 5500 થી 6000 મેટ્રિક ટન દરરોજનું શેરડીનું પીલાણનો લક્ષ્યાંક 180 થી 185 દિવસમા પૂરો કરશું અને બગાસ, મોલાસીસ, પ્રેસમડ ટેક્નિકલ રીતે પિલાણ ઓછા લોસ કરવાનો પ્રયત્ન કરશું. મોલાસીસ ઇથેનોલ બનાવવામાં વપરાય છે. જ્યારે પ્રેસમડ ઓર્ગેનિક બાયો કમ્પોઝ ખાતર બનાવવામાં વપરાય છે. એ ઉપરાંત ચાલુ વર્ષે 200 ગાડા અને 500 ટ્રેક્ટર લારીઓનો ઉપયોગ થશે અને આ કામગીરીમાં 1,0000 થી વધુ કોઇતા સહીત કુલ 15000 લોકોને રોજગારી મળશે.

જયારે નર્મદા સુગરના વાઇસ ચેરમેન અજયસિંહ પરમારે જણાવ્યું હતું કે નર્મદા સુગર એ ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી છે. છેલ્લા 25 વર્ષથી ઘનશ્યામ પટેલના ચેરમેન તરીકે સફળ સંચાલનથી 38,000 હેકટર જમીનમાં શેરડીનું વાવેતર કરી વિક્રમજનક પિલાણ કરી ઉત્તમ ખાંડનું ઉત્પાદન કરી ગુજરાતમા ત્રીજા ક્રમનો સારો ભાવ આપ્યો છે. ગયા વર્ષે 2921 નો સારો ભાવ ખેડૂતોને મળ્યો હતો. આ વર્ષે 10,000 એકરમાં શેરડીનું વાવેતર થઈ ચૂક્યું છે અને હજી બીજા 8,000 હેક્ટરમાં વાવેતર થશે. આ ફેક્ટરી કાર્યરત થવાથી બન્ને જિલ્લાના ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું રહ્યું છે. આમ નર્મદા સુગર સાચા અર્થમાં નર્મદા અને ભરૂચના ખેડૂતોની જીવાદોરી બની રહી છે

Advertisement

દીપક જગતાપ રાજપીપલા


Share

Related posts

જંબુસર ખાતે મુસ્લિમ બિરાદર દ્વારા ઇદે મિલાદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

अमेज़ॅन प्राइम वीडियो आज अपनी डायरेक्ट-टू-ओटीटी फिल्म ‘पोनमगल वंधल’ का पहला डिजिटल प्रीमियर करेंगे होस्ट!

ProudOfGujarat

અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોરવીલર ના ચારેય ટાયરની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!