Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) એકતા મંથન શિબિર યોજાઈ

Share

સમગ્ર દેશમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટને પ્રાધાન્ય આપી સ્થાનિક વસ્તુઓને મોટું માર્કેટ પુરૂં પાડવાની “વોકલ ફોર લોકલ” ની પરિકલ્પનાના ભાગ રૂપે કેન્દ્ર સરકારના લઘુ-મધ્યમ કદના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં યુનિટી મોલ ઊભા કરવા માટેની વિચારણા કરવામાં આવી છે. આ વિચારને દેશના તમામ રાજ્યો કેવી રીતે અમલીકરણ કરી શકે તેની ચર્ચા વિચારણા માટે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એકદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદઘાટન સત્રના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશજીએ જણાવ્યું હતું કે, આપણો દેશ વિવિધતામાં એકતાની ભૂમિ તરીકે ઓળખાયો છે. આપણી શક્તિ આ વિવિધતાને સ્વીકારવાની અને તમામ સીમાઓને ઓળંગી એકતાનું મજબૂત બંધન બનાવવાની ક્ષમતામાં રહેલી છે. તેને આગળ ધપાવવા માટે, કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪માં દરેક રાજ્યની રાજધાની અથવા સૌથી પ્રખ્યાત પર્યટન કેન્દ્રમાં યુનિટી મોલ સ્થાપવાની જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આ યુનિટી મોલ્સ ODOPS (વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ), હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ્સ અને અન્ય સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલી વસ્તુઓના પ્રચાર અને વેચાણ માટે પ્લેટફોર્મ તરીકેની સેવા પુરી પાડશે. આ યુનિટી મોલ્સના નિર્માણ માટે કેન્દ્ર સરકાર પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન દ્વારા રાજ્યોને નાણાકીય સહાય પણ પૂરી પાડશે.

એકતાનગર ખાતે યોજાયેલી શિબિરના પ્રારંભે ગુજરાતના ઉદ્યોગ, લઘુ તથા સુક્ષ્મ મધ્યમ ઉદ્યોગ વિભાગ અને નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના ઉદ્યોગ મંત્રાલયે સમગ્ર દેશને એકતાના સૂત્રમાં બાંધવા માટે જે યુનિટી મોલ પ્રોજેક્ટને અમલમાં લાવવા માટેના પ્રયાસો કર્યા છે. તેના ચિંતન માટે આપણે સહુ એકતાની બેમિસાલ એવા સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એકતાના મંત્રને ચરિતાર્થ કરવા માટે આગળ આવી ઓડીઓપીના માધ્યમથી સમગ્ર વિશ્વ સમક્ષ લઈ જઈએ તેમ તેઓએ જણાવ્યું હતું.

Advertisement

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને શિબિરમાં ઉપસ્થિત સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. શિબિરમાં ઉત્તર પ્રદેશના ગ્રામીણ ઉદ્યોગ, હેન્ડલૂમ અને ટેક્ષટાઈલ વિભાગના મંત્રી રાકેશ સચ્ચન અને નાગાલેન્ડ સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના સલાહકાર શ્રીમતી હેકાની જખાલુએ પણ યુનિટી મોલ્સના અમલીકરણ તેમજ તેમના રાજ્યોમાં થઈ રહેલી કામગીરી ઉપર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી મનમીત પ્રિત કૌરે સમગ્ર શિબિર અંગેની રૂપરેખા સાથે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.

આ શિબિમાં કુલ ૨૧ રાજ્યોના મધ્યમ, સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાયા હતા. સાથે એમએસએમઇના ઉદ્યોગ સાહસિકોના અનુભવો શેર કરવાના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ એમએસએમઇ ઉદ્યોગસાહસિકોએ તેમની સફળતાની ગાથાઓ રજૂ કરી હતી, ત્યારબાદ શિબિરના તમામ સહભાગીઓએ એકતાનગર સ્થિત એકતા મોલની મુલાકાત કરી પોતાના રાજ્યમાં સ્થાપિત થનારા યુનિટી મોલમાં કેવા પ્લેટફોર્મ ઊભા કરી શકાય તેનું નિરિક્ષણ કરી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હતો. શિબિરમાં જોડાયેલા મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ વહેલી સવારે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં યોગાભ્યાસ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી. જ્યારે આગલા દિવસે સોમવારે સાંજે નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં સહભાગી બની ધન્યતાનો ભાવ પ્રગટ કર્યો હતો.


Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ કોર્ટમાં અને જજીસ બગ્લોઝમાં કોર્ટ સ્ટાફ અને બાર એશોશિયન વકિલ મંડળ દ્વારા વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ ….

ProudOfGujarat

શિક્ષક પર લાગ્યા ગંભીર આક્ષેપ : શિક્ષણ લેવા આવતી વિદ્યાર્થીની ના આક્ષેપ.

ProudOfGujarat

નવસારી : ચાંપલઘારમાં મુસ્લિમ લિંચિંગ ઘટનામાં આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે જમીયતે ઉલેમાએ હિંદ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!