Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટર, નીચાણવાળા ગામોને કરવામાં આવ્યા એલર્ટ

Share

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વરસાદ વધતા વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટી 128.51 મીટર પહોંચી છે. ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 10 મીટર જેટલો દૂર છે. ત્યારે અત્યારથી જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગત વખતની જેમ જળ સપાટી વધતા નર્મદા ડેમના દરવાજાઓ ખોલવામાં આવી શકે છે.

નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર મહત્તમ છે ત્યારે માત્ર 10 મીટર દૂર ડેમની જળસપાટી મહત્તમથી છે ત્યારે પાણીની આવક 1 લાખ 10 હજાર 350 ક્યુસેક પહોંચી છે. 24 કલાકમાં જળ સપાટી 65 સેમી વધી છે. નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા છે. ગુજરાતભરમાં પાણી આપવા માટે સરદાર સરોવર ડેમ સક્ષમ છે ત્યારે સારી વાત એ પણ છે કે, આ વખતે ડેમ ભરાતા ખેડૂતોને ખેતી માટે પાણીની કોઈ તંગી નહીં વર્તાય. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી જળ સપાટી 13 જુલાઈના રોડ 124.51 મીટર હતી. સતત ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.

નર્મદા ડેમની જળસપાટી આગળથી આવી રહેલા પાણી તેમજ વરસાદના કારણે વધુ વધી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છે. ત્યારે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા એક તરફ ખેડૂતો માટે ખુશીની વાત પણ છે કેમ કે, ઉનાળું ખેતી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં નર્મદાના પાણીથી જ થાય છે. ત્યારે ડેમની જળસપાટી છેલ્લા કેટલાક સમયથી વરસાદના કારણે ભયજનક સપાટીની નજીક પણ પહોંચે છે.


Share

Related posts

ભરૂચ : કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા “રેમડેસીવીર” ઈન્જેક્શનની કાળા બજારી કરતા બે ઈસમો ભરૂચ એસ.ઓ.જી નાં હાથે ઝડપાયા.

ProudOfGujarat

સુરત ગોટાલાવાડીના મકાનો રિડેવલોપેન્ટના કામમાં વિલંબ બાદ સ્થાનિકો મોરચો લઈ મ.ન.પા,મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં “સંકલ્પ લઈએ, સહપરિવાર મતદાન કરીશુ”ના સંકલ્પપત્રો ભરાવી મતદાર જાગૃતિ અભિયાનનો આજથી શુભારંભ કરાયો*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!