Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના ભદામ,મોટા લીમટવાડા,સાંજરોલી ગામોએ તળાવ ઉંડુ કરવાની કામગીરીનું મંત્રી ઈશ્વર પટેલે નિરીક્ષણ કર્યું.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા): સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનથી પ્રારંભાયેલા સુજલામ-સુફલામ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા જળસંચયના કામોનો જુદા જુદા તાલુકા અને ગામોમાં પ્રારંભ થયા બાદ આ અભિયાન નર્મદા જિલ્લામાં ક્રમશઃ આગળ ધપી રહ્યું છે.ગુજરાતનાં સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગુરુવારે સાંજે નાંદોદ તાલુકાનાં ભદામ,મોટા લીમટવાડા અને ગરૂડેશ્વર તાલુકાનાં સાંજરોલી ગામે તળાવ ઉંડુ કરવાના સ્થળની મુલાકાત લઇ જેસીબી મશીનથી તળાવ ઉંડુ કરવાની થઇ રહેલી કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.અને સ્થળ ઉપર જિલ્લા પ્રશાસનનાં અધિકારીઓને તળાવની કામગીરી બાબતે જરૂરી સૂચનો કરવાની સાથે તળાવ ખોડાણની માટીના યોગ્ય ઉપયોગ સાથે તેનો નિકાલ થાય તે માટે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ પણ આપી હતી.ઈશ્વર પટેલની આ મુલાકાત વેળાએ વન અને આદિજાતિ વિકાસ વિભાગનાં પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણભાઇ તડવી,જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,કરજણ સિંચાઇ યોજનાનાં કાર્યપાલક ઇજનેર એ.એફ.મોતાવર,જિલ્લાનાં અગ્રણી ઘનશ્યામ દેસાઇ,ગજેન્દ્રસિંહ જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ મંત્રી ઈશ્વર પટેલ સમક્ષ નર્મદા કેનાલનું પાણી ગામ તળાવમાં લાવવાની માંગણીની રજૂઆત કરી હતી.આ વિસ્તારમાં ઘણાં તળાવો એવા છે કે, જે નર્મદાની કેનાલની પંપીગ કર્યા વગર સહેલાઇથી ભરી શકાય છે, તેવી લાગણી ગામલોકોએ વ્યક્ત કરી હતી.વન અને આદિજાતિ વિભાગનાં પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ નર્મદા કેનાલમાંથી ગામ તળાવમાં પાણી છોડવા અંગે ગામ લોકોની માંગણીમાં સૂર પૂરાવી નર્મદા જિલ્લામાં કરજણ-નર્મદાના કમાન્ડ એરીયા સિવાયનો અંદાજે ૭૫ ટકા જેટલા વિસ્તારના હયાત તળાવો પુનઃજીવિત કરીને સંપૂર્ણપણે કાર્યક્ષમ બનાવ્યેથી આ વિસ્તારના લોકો માટે આશિર્વાદરૂપ બની રહેશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામની ટ્રસ્ટની જમીનમાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો ઠાલવવા બાબતે ભાડુઆત અને ભૂતપૂર્વ ટ્રસ્ટીને જીપીસીબી દ્વારા 25 લાખનો દંડ કરાયો.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના અધ્યક્ષપદે મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારા આયોજન અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બંધ મકાનમાંથી રૂ.1,90,000 ની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!