Proud of Gujarat
GujaratINDIALifestyle

નર્મદા : “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરતાં રાજપીપલાળા ટાઉન પી.આઈ. – આર એન રાઠવા.

Share

હાલ કોરોના વાઇરસને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી જિલ્લો છે અહીં નાના ગામનાં આદિવાસી પરિવારો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે લોકડાઉનના કારણે નાના ધંધા,મજૂરી બંધ થતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવા ગરીબોના વ્હારે આવી છે અને રોજ તેમને જમવા તેમજ અનાજ સહિતની ચીજ વસ્તુઓ પહોંચાડી રહી છે. ત્યારે રાજપીપળાનાં ટાઉન પી.આઈ. આર એન રાઠવાએ “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરી છે. પી.આઈ. આર. એન રાઠવા નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા જુનારાજ ગામની વિધવાઓને વ્હારે આવ્યા છે. તેમણે નિઃસહાય વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ કરી માનવતા મહેકાવી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

રાજપીપળા : આગામી 31 ઓકટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે.

ProudOfGujarat

ભરૂચને મળશે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, યુવા ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળશે

ProudOfGujarat

લ્યો બોલો,ઓવૈસી ની પાર્ટીના ભરૂચ ના પૂર્વ પ્રમુખ નશાની દુનિયાનો માસ્ટર માઈન્ડ નીકળ્યો,લાખોના ડ્રગ્સ કેસ પ્રકરણમાં સાહીલ મલેક ની સંડોવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!