Proud of Gujarat
GujaratINDIALifestyle

નર્મદા : “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરતાં રાજપીપલાળા ટાઉન પી.આઈ. – આર એન રાઠવા.

Share

હાલ કોરોના વાઇરસને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી જિલ્લો છે અહીં નાના ગામનાં આદિવાસી પરિવારો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે લોકડાઉનના કારણે નાના ધંધા,મજૂરી બંધ થતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવા ગરીબોના વ્હારે આવી છે અને રોજ તેમને જમવા તેમજ અનાજ સહિતની ચીજ વસ્તુઓ પહોંચાડી રહી છે. ત્યારે રાજપીપળાનાં ટાઉન પી.આઈ. આર એન રાઠવાએ “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરી છે. પી.આઈ. આર. એન રાઠવા નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા જુનારાજ ગામની વિધવાઓને વ્હારે આવ્યા છે. તેમણે નિઃસહાય વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ કરી માનવતા મહેકાવી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

યુપીએલ યુનિવર્સિટીની SRICT સંસ્થાના મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોગ્રામને NBA દ્વારા એક્રીડીએશન મળ્યું.

ProudOfGujarat

વડોદરા : વાસણા રોડ પર સોસાયટીમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થતાં મકાનનો ભાગ થયો ધરાશાઈ,૮ લોકો ઘાયલ ૨ ના મોત.

ProudOfGujarat

ભરૂચમાં GUJCON 2026નો ભવ્ય પ્રારંભ : ઔદ્યોગિક આરોગ્ય અને કામદાર સુખાકારી મુદ્દે નિષ્ણાતોનું મંથન 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!