Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા શાકમાર્કેટ બંઘ રહેવાની વાતો વહેતી થતા લોકો ચિંતામાં મુકાયા : વાંચો અહેવાલ શું છે હકીકત???

Share

રાજપીપળા શાકમાર્કેટ બંધ રહેવાની વાતો વહેતી થતા લોકોમાં ચિંતા આ બાબતે શાકમાર્કેટના પ્રમુખ હાસનભાઈ સાથે વાત કરતા તેઓએ આ વાતને અફવા ગણાવી અફવાનું ખંડન કર્યું.હાલ કોરોનાની મહામારીના કારણે લોકડાઉન બીજા તબક્કામાં છે ત્યારે આવશ્યક વસ્તુઓ લોકો સુઘી નિયમિત પહોંચતુ રહે તે દિશામાં તંત્ર પણ કામ કરી રહ્યું છે. રાજપીપળામાં દૂધ, શાકભાજી, કરીયાણું લોકોને સહેલાઈથી મળી રહે છે. પરંતુ આજે રાજપીપળામાં શાકભાજીનું મુખ્ય માર્કેટ બંધ રહેશે તેવી વાતો વહેતી થતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને લોકો મૂંઝવણમાં મુકાયા હતા.આ બાબતે રિયાલિટી ચેક કરવા માટે અમારા પ્રતિનિધિ દ્વારા શાકમાર્કેટના પ્રમુખ હસનભાઈ તાઈ સાથે વાત કરતા તેઓએ આ અફવા હોવાનું જણાવ્યું હતું અને આ વાતનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે માર્કેટ રાબેતા મુજબ ચાલુ છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા

Advertisement

Share

Related posts

દાહોદ જીલ્લાના ફતેપુરા ગામે આવેલ સોના ચાંદી ના વેપારી ના ત્યા દિવસ આઇટી વિભાગ દ્વારા સચઁ હાથ ધરવામાં આવ્યુ

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બહેનોએ બોકસીંગમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યાં.

ProudOfGujarat

સુરત સૈયદપુરા અલહસન એપાર્ટમેન્ટના પહેલામાળે આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી 40,000 જેટલા મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!