Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લાનાં અકુવાડા ખાતે 10 વર્ષીય બાળકનું કરંટ લાગતા મોત.

Share

નર્મદા રાજપીપળા નાદોદ તાલુકાનાં અકુવાડા ખાતે રહેતા રહેતા રાજેન્દ્ર લલ્લુ વસાવાનાં 10 વર્ષિય પુત્ર આયુષ પોતાના મિત્ર સાથે ઘર પાસે રમતો હતો એ સમય દમિયાન બળદેવ ચંદ્રસિંગ વસાવા નાઓએ પોતાના ઘરના વાડામાં જુવારનો પાક વાવીઓ હતો. જુવારનાં ઊભા પાકને ભૂડો નુકસાન ના કરે તે માટે ચારે બાજુથી ફ્રેન્સિંગ કરી હતી અને ઇલેક્ટ્રિક કરંટ લગાડવામાં આવ્યો હતો જે કરંટ ચાલુ હોય અને 10 આયુષ એ તાર પકડી લેતા તેનું મોત નિપજ્યું હતું. આયુષનાં પિતાએ આરોપી બળદેવ ચંદ્રસિંગ વસાવા વિરૂદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપી વિરુદ્ધ કલમ 304 મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદમાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં એસજી આંગડીયાના સ્ટાફના બે શખ્સો 74 લાખનું ફૂલેકું ફેરવી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!