Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના આદિત્યમાં ૦૧, નાંદોદના ઓરી ૦૧, કુમસગામ ૦૧ અને ગરુડેશ્વરના કેવડિયા કોલોની ૦૨, ઝરીયા ૦૧, તિલકવાળા નલગામ ૦૧ અને ડેડીયાપાડાના ગાજરગોટા ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૧૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૨૧ દર્દીઓ દાખલ છે. આજે સાજા થયેલ ૩૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૬૭૧ પર પહોંચ્યો છે.આજે વધુ ૩૨૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

કેરળમાં PM મોદીએ દેશની 16 મી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગના આટખોલ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા..!!

ProudOfGujarat

પાલેજથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ ઓજ ગામે નર્મદા નદીમાં આરસીસી રસ્તો બનાવવાનો મુદ્દો ચગડોળે ચડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!