Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા ટેકરા ફળિયામાં સ્વ.નરેશ કનોડિયાનાં ચાહકે તેમના આત્માની શાંતિ માટે ભજન રાખી શ્રદ્ધાંજલિ અર્પી.

Share

ગુજરાતી ફિલ્મોનાં મહાનાયક અને ગાયક એવા નરેશ કનોડિયાનું લાંબી માંદગી બાદ અવસાન થતાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ હતી ત્યારે રાજપીપળામાં પણ તેમના ચાહક સનતભાઈ પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સનતભાઈએ સ્વ. નરેશ કનોડિયા સાથે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે ત્યારે તેમની આત્માને શાંતિ મળે તે માટે તેઓએ ભજન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાજપીપળાનાં ટેકરા ફળીયા વિસ્તારમાં રહેતા સનતભાઈ જોગી પોતે નરેશ કનોડિયા સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકયા છે અને તેમને આદર્શ ગણતા હોય આમ અચાનક નરેશ કનોડિયાનું નિધન થતા સનત ભાઈ ખૂબ દુઃખી થયા હોય તેમના આત્માની શાંતિ માટે તેમણે ટેકરા ફળીયા ખાતે ભજનનો કાર્યક્રમ યોજી શ્રધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું હતું.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક ટ્રક ચા નાં ગલ્લામાં ઘુસી જતા દોડધામ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સરકારી રેફરલ હોસ્પિટલમાં સાપ નીકળતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ….

ProudOfGujarat

નડિયાદની ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!