Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે પૃથ્વી દિવસે કુંવરપરા ગ્રામજનોએ પૃથ્વી બચાવવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો.

Share

🔹 કોરોનામાં ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ એકમાત્ર ઉપાય.

🔹 કુંવરપુરા ગામમાં બે વર્ષમા 22000 વૃક્ષો ગ્રામજનોએ વાવ્યા.

Advertisement

🔹 જે આજે 15 થી 20 ફુટ ઊંચા ઝાડ બની ગયાં.

🔹 આજે પૃથ્વી દિવસે પૃથ્વી બચાવવા અને ઓક્સિજન વધારવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો

રાજપીપલા : આજે 22 મી એપ્રિલ પૃથ્વી દિવસ છે. એકમાત્ર આપણી પૃથ્વી પર જીવન છે જ્યાં કુદરતે આપણને ભરપૂર મફત ઓક્સિજન આપ્યો છે ત્યારે આજે કોરોના મહામારીમાં લોકો ઓક્સિજનના આભાવે લોકો તરફડી રહ્યા છે. આજે દેશભરમા ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે ત્યારે ભરપૂર કુદરતી ઓક્સિજન આપતા કોરોનામા ઓક્સિજનની કમી પૂરી કરનાર વૃક્ષો જ એકમાત્ર ઉપાય બચ્યો છે. ત્યારે આજે પૃથ્વી દિવસે આપણે સૌ પૃથ્વી બચાવવા અને ઓક્સિજન વધારવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કુંવરપરાના ગ્રામજનોએ કર્યો હતો.

કુંવરપરા ગ્રામ પંચાયતના સરપંચ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે અમે અમારા ગામ કુંવરપુરા ગામમાં બે વર્ષમા 22000 વૃક્ષો વાવ્યા હતા. આજે એ ફુલ્યા ફાલ્યા છે. કુંવરપુરા ગ્રામ પંચાયતમાં મારા ગામના વડીલો તેમજ મારા જેવા સાથી મિત્રોના સહયોગથી અમે સહુ ગ્રામજનો ભેગા મળીને પોણા બે વર્ષ પહેલા વૃક્ષારોપણ અમારી ગૌચર જમીનમાં 22000 વૃક્ષોનુ રોપણ કરેલ હતું જે આજે 15 થી 20 ફુટ ઉચા ઝાડ બની ગયા છે. અમારે ત્યાં પાણીનો અભાવ હોવા છતાં અમારા ગામના વડીલો ભાઈઓ બહેનો અને યુવા મિત્રોએ તેમજ ગ્રામજનોએ અને 80 થી 100 ફુટ નીચે ચેક ડેમ આવેલ છે ત્યાંથી ઘડે ઘડે પાણી ભરી અમે ભર ઉનાળામાં પણ આ વૃક્ષોનું જતન કર્યું. હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. અસહ્ય તાપ પડી રહ્યો છે એવા સમયમાં અમને અને અમારા સમગ્ર ગ્રામજનો અમે ગર્વ અનુભવી છીએ કે અમારી ગૌચર જમીનમાં આટલા સુંદર મજાના વૃક્ષો અહીંયા લહેરાઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં પશુ પક્ષીઓ જીવજંતુઓ અને અમારા ગ્રામજનો આનો આનંદ લઇ રહ્યા છે.

આવનારા દિવસોમાં અલગ-અલગ પ્રકારના વૃક્ષો વાવ્યા છે.= એના પણ ટૂંક સમયમાં ખાવાલાયક ફળ આવશે તેનો પ્રાણીઓ પક્ષીઓ તેમજ અન્ય જીવજંતુઓનો ખોરાક બનશે. અમારા ગ્રામજનો દ્વારા આપ સર્વે ભાઈઓ-બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે આપ પણ આપણા વિસ્તારમાં ગૌચરની જમીન છે કે આપણા ખેતરમાં શેરડી કે આપના વાડામાં આપના ઘરના આંગણે આવા સુંદર મજાના વૃક્ષોનું રોપણ કરો આવનારા દિવસોમાં આપ સહુ કુદરતની મજા માણો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે અને આ સમયમાં સમગ્ર વિશ્વમાં લોકોને ઓક્સિજનની જરૂર પડી રહી છે એના માટે ઓક્સિજન તેમજ દર્દીઓને વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં આપણા દેશમાં પણ આજે ઓક્સિજન બનાવતી કંપનીઓમાં પણ આજે ઓક્સિજન પેશન્ટ સુધી પહોંચાડવા ખૂબ જ તકલીફ અને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ પૃથ્વીની રચના કરનાર ભગવાનનો આભાર માનવો જોઈએ. આપણને આટલું સરસ મજાનું ઓક્સિજન જે કુદરતે બનાવેલી પ્રકૃતિએ આપ્યું છે એમાંથી આપણને મળી રહે છે જો આવનારા દિવસોમાં આપણે વૃક્ષોરોપણ નહીં કરીએ તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એમને ભવિષ્યમાં ઓક્સિજન માટે ખુબ જ મુશ્કેલીઓ આવવાની છે એમ કુંવરપુરા ગ્રામજનોએપોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરો અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝંખવાવ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ એ ડીવીઝન પોલીસે જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપ્યા

ProudOfGujarat

शाहरुख खान कुछ इस तरह कर रहे है एसिड पीड़ित महिलाओं की मदद

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!